મોરબી: માળીયાના નાના દહીંસરા ગ્રામ પંચાયત સરપંચને હોદ્દા પરથી DDOએ દૂર કર્યા

Advertisement
Advertisement

મોરબી જિલ્લાના માળીયા તાલુકાના નાના દહીસરા ગ્રામ પંચાયતના સરપંચ પ્રવિણભાઈ ગણેશભાઈ ભટાસણાએ ગૌચરની જમીનનો પોતાના હિત માટે ઉપયોગ કરતા હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. નાના દહીસરા ગામના ગૌચરની જાળવણી કરવાના બદલે પોતાના અંગત હિત માટે ગૌચરની જમીનમાં 80 મીટર લાંબુ, 15 મીટર પહોળું અને 2 મીટર ઉંડું ખોદકામ કરીને માટીનો ઉપયોગ કરેલો હતો. આમ સરપંચે પોતાની સત્તાનો દૂરપયોગ કરીને પોતાના અંગત ઉપયોગ માટે ગૌચરની માટીનો ઉપયોગ કરેલ હોય જેથી ફરજ બજાવવામાં દુવર્તન બદલ ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ની કલમ-૫૭(૧) હેઠળ જિલ્લા વિકાસ અધિકારી, મોરબી દિગ્વિજયસિંહ ડી.જાડેજા દ્વારા નાના દહીંસરા ગ્રામ પંચાયતનાં સરપંચ પ્રવિણભાઇ ગણેશભાઈ ભટાસણાને સરપંચનાં હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે.