ટંકારામા ગીરીશભાઈ ઘેટીયા અને મોનિકાબેનની લાડવાયી ગૌરીવ્રત પુજન કરે છે.
Oplus_131072
કુમારીકાઓ માટે ગૌરીવ્રત નો પ્રારંભ થઈ ગયો છે. ટંકારામા નાનકડી કુમારીકાઓ સવારે વહેલા હોંશેહોંશે ઉઠીને ઘરે ઉગાડેલા ઝવારા લઈ પુજા અર્ચના કરી સળંગ પાંચ દિવસ મોળુ ખાઈ ઉજવણી કરે છે. પૌરાણિક અને ધાર્મિક રસમ પ્રમાણે શહેરના ઘેટીયાવાસ વિસ્તાર માં રહેતા નગરપાલિકા સદસ્ય ગીરીશભાઈ ઘેટીયા અને મોનિકાબેનની લાડકી વેદાંશી મોળાવ્રત નુ વહેલી સવારે હરખભેર પુજન કરી રહી છે.