મોરબી: ચકચારી આપઘાત કેશમાં પત્રકારના આગોતરા જામીન મંજુર

Advertisement
Advertisement

મોરબીના ચકચારી આપઘાત કેસમાં અગાઉ પોલીસ કર્મચારીના આગોતરા જામીન મંજુર કરવામાં આવ્યા હતા જે કેસમાં વધુ એક આરોપીને આગોતરા જામીન મળ્યા છે

મોરબી બી ડીવીઝનમાં ફરિયાદી જીગ્નેશભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવી હતી કે તેના ભાઈ નીલેશભાઈએ પોતાની ઓફિસમાં જંતુનાશક દવા પી આપઘાત કર્યો હતો વ્યાજના પૈસાના દબાણને કારણે આપઘાત કર્યાની ફરિયાદ નોંધાવી હતી જેમાં ૧૧ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી જે કેસમાં આરોપી રુશીભાઈ મહેતાએ મોરબી એડી સેસન્સ જજ મિત્તલ આર નાદ્પરાની કોર્ટમાં આગોતરા જામીન પર મુક્ત થવા મોરબીના સીનીયર એડવોકેટ જીતેન્દ્રસિંહ આર જાડેજા અને એડવોકેટ મહાવીરસિંહ અનોપસિંહ જાડેજા (ચાંદલીવાળા) મારફત આગોતરા જામીન અરજી કરતા આરોપી ઋષિભાઈ મહેતાના વકીલની દલીલોને ધ્યાને લઈને સેન્સસ જજ નાગપરા સાહેબે આરોપીને રૂ ૫૦,૦૦૦ ના આગોતરા જામીન પર શરતોને આધીન મુક્ત કરવાનો હુકમ કર્યો છે