ટંકારા તાલુકાની ૨૪ ગ્રામ પંચાયત ની ચુંટણીમા નિરસતા,  ગામડાની મોટા ભાગની બેઠકો ફરી ખાલી રહેશે.

Advertisement
Advertisement

લજાઈ મા સરપંચ ની ચુંટણી યોજાશે, સભ્યો માટે સહમતી સધાઈ જવાના એંધાણ, લખધીરગઢ,વિરવાવ હરીપર ની પેટા ચુંટણી મા એક એક ફોર્મ આવતા પેટા ચુંટણી મા નવા સરપંચ બિનહરીફ થવાનુ ચિત્ર સ્પષ્ટ.

 

આગામી ૨૫ મી એ યોજાનારી રાજ્યની સ્થાનિક ગ્રામ પંચાયતો ની ચુંટણી ના સોમવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ટંંકારા તાલુકાની ૨૪ ગ્રામ પંચાયત ની ચુંટણી માટે મોટાભાગના ગામડાઓએ સુસ્તતા દાખવી હોવાનુ ચિત્ર ઉપસ્યુ હતુ. ૨૪ ગામડામાંથી માત્ર લજાઈ એક જ ગામે સરપંચ પદ માટે પાંચ ફોર્મ ભરાયા હતા જ્યારે, ભૂતકોટડા, હરીપર અને સજનપર ગામે ગત ટર્મ ના સરપંચોએ રાજીનામા ધરી દીધા બાદ ફરી આવેલી પેટા ચુંટણીમાં એક પણ ઉમેદવારે દાવેદારી ન નોંધાવતા અહીંયા ફરી ગ્રામ પંચાયત સેનાપતિ વગર સૈનિકો (સભ્યો) થી જ વહીવટ ચાલે એવુ દ્શ્ય ઉપસ્યુ છે. જ્યારે, લખધીરગઢ અને વિરવાવ ગામે થી ખાલી પડેલી સરપંચ પદ ની બેઠક માટે માત્ર એક એક ઉમેદવાર ના ફોર્મ આવતા અહીંયા પેટા ચુંટણી થી ચકાસણી મા ફોર્મ રદ ન થાય તો નવા બિનહરીફ સરપંચ મળવાનુ ચિત્ર વરતાઈ રહ્યુ છે.

આગામી ૨૫ મી એ યોજાનારી સ્થાનિક સ્વરાજ ગ્રામ પંચાયત ની ચુંટણી મા ટંકારા તાલુકાના ૨૪ ગામડામા ચુંટણી યોજાનાર છે. જેમા, લજાઈ, જબલપુર અને ગજડી મા મુદ્ત પૂર્ણ થતી હોવાથી સામાન્ય ચુંટણી અને બાકીના ગામડાઓમા સરપંચ અને સભ્યો ની ખાલી પડેલી બેઠકો માટે પેટા ચુંટણી યોજાવાની છે. આજે સોમવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે સ્પષ્ટ થયેલા ચિત્ર પ્રમાણે માત્ર લજાઈ ગામે પાંચ દાવેદારોએ સરપંચ પદ માટે દાવેદારી નોંધાવવા અહીંયા સરપંચ પદની ચુંટણી યોજાશે જ્યારે ૧૦ વોર્ડ ના સભ્યો માટે ૧૧ ફોર્મ રજુ થયા છે એમા, ગામડે બેઠકોના દોર શરૂ થયા છે એ જોતા કદાચ પરત ખેંચવાના અંતિમ દિવસે તા. ૧૧ મી એ એક દાવેદાર ખસી જવાના એંધાણ વરતાઈ રહ્યા છે અને જો એ શક્ય બનશે તો અહીંયા સભ્યો બિનહરીફ જાહેર થાય અને માત્ર સરપંચ પદ ની ચુંટણી યોજાશે. જ્યારે ગજડી મા વાટાઘાટો સફળ નિવડે તો સભ્યો પણ બિનહરીફ જાહેર થાય તો ચુંટણી ટળે એવુ ચિત્ર હાલ જણાય રહ્યુ છે. તો, જબલપુર મા માત્ર એક ઉમેદવાર હોવાથી સરપંચ બિનહરીફ જાહેર થશે અને સભ્યો ની ચુંટણી યોજાશે. જ્યારે, વિરવાવ, હરીપર અને લખધીરગઢ ગામે સરપંચ ની ખાલી પડેલી બેઠક ની પેટા ચુંટણી મા એક એક ફોર્મ રજુ થતા અહીંયા ત્રણેય ગામડાને ફોર્મ ચકાસણી મા વિઘ્ન ન આવે તો નવા સરપંચ મળવાના ઉજળા સંજોગો હાલ દેખાઈ રહ્યા છે.


ગામડામા પેટા ચુંટણી મા પણ નિરસતા વરતાઈ રહી છે.


————

ભૂતકોટડા અને સજનપર ગામે સરપંચ ની ખાલી પડેલી બેઠક ની પેટા ચુંટણી મા એક પણ ઉમેદવારે દાવેદારી ન નોંધાવતા અહીંયા ગ્રામપંચાયત ફરી સેનાપતિ વગર ની જ રહેશે. જ્યારે, દેવળીયા, ધ્રોલીયા, ઘુનડા (ખા), હડમતીયા, જીવાપર, નાનારામપર, નસીતપર,ઓટાળા, રોહીશાળા, ઉમીયાનગર, વિરપર, વાછકપર અને નાના ખિજડીયા ગામે સભ્ય ની ખાલી પડેલી બેઠક પર આવેલી પેટા ચુંટણીમાં ગામડામાથી કોઈ એ ઉમેદવારી ન કરતા અહીંયા આ બેઠકો ખાલી રહેશે. આમ, ૨૪ ગામડાની સ્થાનિક ચુંટણી મા એકેય ગામડે ઉડીને આંખે વળગે એવો ઉમળકો દેખાડ્યો ન હોવાના ચિત્ર ઉપરથી ગામડાના લોકો નિરસ રહ્યા હોય એવુ દ્શ્ય ઉપસ્યુ છે.