જામનગરના રાજવીએ પીઠડ ગામે ૧૮૮૪ મા સ્થાપેલી પ્રા.શાળાનો ૧૪૨ મો સ્થાપના દિન ઉજવાયો.

Advertisement
Advertisement
મીત ત્રિવેદી, ટંકારા.
 જોડીયા તાલુકાના પીઠડ ગામે ૧૮૮૪ મા રજવાડા એ સ્થપાયેલી સરકારી પ્રાથમિક શાળા ના ૧૪૨ મા સ્થાપના દિવસ ની ઉજવણી શાળાના વર્તમાન શિક્ષકગણ દ્વારા ગામડાના સરપંચ ની ઉપસ્થિતિમા ઉજવણી કરવામાં આવી હતી. આ વેળાએ શાળાના ધોરણ 8 ના વિધાર્થીઓનો પ્રાથમિક કક્ષાનો અભ્યાસક્રમ પૂર્ણ થતા છાત્રોને ભાવભેર વિદાયમાન અપાયુ હતુ.
ટંકારા અને જોડીયા બંને તાલુકા સાથે ભૌગોલિક રચના થી સીધુ જોડાયેલુ જોડીયા તાલુકાનુ જામનગર સ્ટેટનુ મોટુ ગામ ગણાતુએ વખતનુ લીલાપુર હાલનુ પીઠડ ગામ મા જામનગર ના શિક્ષણપ્રેમી રજવાડા એ ગામડામા સાક્ષરતા લાવવા ની લાગણી અને શિક્ષણ પ્રત્યે ના ભાવ થી સને ૧૮૮૪ ના એપ્રિલ મહીનાની ૨૮ મી તારીખે પ્રાથમિક શાળા સ્થાપી ગામડામા નિશાળ શરૂ કરી હતી. એ યુગમા ફાનસના અંજવાળે ગામડામા ઈ વખતે પાટી અને પેન પણ ધનપતિ ની સહાય લઈને ગામડાના છોકરાઓ ભણવા જઈ શકે એવા યુગ મા નિશાળ શરૂ થઈ હતી. ૧૪૨ વર્ષ પૂર્વે ગામડામા હાલ સ્કુલ કહેવાય છે. પરંતુ દોઢ સૈકા પહેલા નિશાળ કહેવાતી એ નિશાળ નસીબ મા નહોતી.એવા સમયે રાજા રજવાડાની દેન થી સ્થપાયેલી શાળા નો સ્થાપના દિવસ ઉજવવા શાળાના વર્તમાન આચાર્ય જીનેસભાઈ વખારીયા એ પોતાની બદલી થી વિદાય લેતા પૂર્વે શિક્ષકો સમક્ષ પ્રસ્તાવ મુકતા ઉજવણી કરવાનુ આયોજન નક્કી કરાયુ હતુ. અને આયોજન ઘડી ગામડાના સરપંચ ની ઉપસ્થિતિમા પોતિકી શાળાનો સ્થાપના અને જન્મ દિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે શાળાના પૂર્વ શિક્ષક નરેન્દ્રભાઈ કુબાવત, વર્તમાન શિક્ષક કનૈયાલાલ સહિતનાઓએ જહેમત ઉઠાવી જુના જમાના ની કલ્પના સાથે સંસ્મરણો વાગોળ્યા હતા. આ વેળાએ શાળાના ધોરણ ૮ ના વિધાર્થીઓનો પ્રાથમિક કક્ષાનો અભ્યાસક્રમ પૂર્ણ થતા છાત્રોને ભાવભેર વિદાયમાન આપવામાં આવ્યુ હતુ. અને વિધાર્થિનીઓ ને કાયમી સંભારણા રૂપે સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડ થી નવાજીસ કરવા મા આવી હતી.
——————————————————————————
શાળા ના આચાર્યની બદલી થતા વિદાયમાન અપાયુ.
——————————————————————————
પીઠડ ગામે શાળા શિક્ષક તરીકે ફરજના ભાગરૂપે જોડાઈને ગામડામા શૈક્ષણિક સ્તર નો વ્યાપ વધારવા સાથે શાળાના મકાનને સ્વચ્છ સુઘડ અને સુંદર વ્યવસ્થા કરવા માટે પોતાની જાત ઘસનારા આચાર્ય વખારીયાએ બદલી થતા શાળા નો જન્મ દિવસ ઉજવી વિદાય લીધી એ વખતે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે ગામડુ ભાવુક બની માસ્તર ને ભારે હૈયે વિદાય આપી હતી.જોકે, ગામડામા પોતાની યાદો  અમીટ છાપ છોડતા પૂર્વે પોતાના સ્વખર્ચે શિક્ષકો, છાત્રો સહિતના ઓને સમુહ ભોજન કરાવી આચાર્ય એ ગામડેથી બદલી થતા વિદાય લીધી હતી.