ટંકારા: શિવ કથા દિન -૭ .. રાગદ્વેષ, અપમાન અને સન્માન ઘવાઈ એવા હ્યદયમા ભાવ ન હોય તો જ યજ્ઞ સફળ અને સંપન્ન થાય છે.

Advertisement
Advertisement
ટંકારા પોલીસ પ્રાંગણમા ચાલી રહેલી શિવ મહાકથા મા રાજુબાપુ શિવ સાથે યજ્ઞ નુ મહાત્મ્ય સમજાવે છે.
ટંકારા હાઈવે કાંઠે પોલીસ સ્ટેશન અને પોલીસ કર્મીઓના સરકારી ક્વાટર્સ એક જ પ્રાંગણમા આવેલા છે. અહીંયા પોલીસ કર્મીઓએ ભિતરમા છુપાયેલી ધાર્મિક ભાવનાથી  શિવમંદિર નિર્માણ કરી રહ્યા છે. નવ નિર્માણ થતા મંદિરમા સ્થાપિત શિવલિંગ ના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા ભાવ જાગ્યો હતો એ વખતે ટંકારાના શિવભક્ત પરમાર પરીવાર ના મોભીએ ધાર્મિક પ્રસંગે શિવમહાપુરાણ કથા શિવ સાનિધ્યમા યોજવા ઈચ્છા વ્યક્ત કરતા યોજાયેલી શિવકથા મા વ્યાસપીઠેથી શિવજીના ત્યાગ, શિવ સમાધિ, શિવ સાધના થી માંડી શિવ મહિમા સાથે જોડાયેલા  બિલીપત્ર, રૂદ્રાક્ષ, ભષ્મ સહિતનુ મહત્વ અને મહાત્મ્ય સમજાવ્યા બાદ સાતમા દિવસે યજ્ઞ નુ મહાત્મ્ય સમજાવવા માટે દક્ષ રાજાએ યોજેલા મહાયજ્ઞનુ દષ્ટાંત કથા સાથે વણી યજ્ઞ વેળાએ હ્યદય મા રાગદ્વેષ, અપમાન અને સન્માન ને ઠેસ પહોંચે એવા ભાવ ન હોય ત્યારે યજ્ઞ સિધ્ધ થવાનુ સમજાવ્યુ હતુ.
ટંંકારા પોલીસ ખાખી લિબાસની ભિતરમા પણ ધર્મ ભક્તિ ની કુણી લાગણી અને સંસ્કૃતિ અને સંસ્કારોના ભાવ છુપાયેલા હોવાની પ્રતિતી કરાવી રહી છે. ટંકારા હાઈવે કાંઠે પોલીસ થાણુ અને પોલીસ સરકારી ક્વાટર્સ એક જ પરીસર મા જયા આવેલા છે. એ પ્રાંગણમા પોલીસ કર્મચારીઓ સનાતન ધર્મ અને ભક્તિ ના સમન્વય ને જાળવી રાખવા શિવમંદિર નવનિર્માણ કરી રહ્યા છે. મંદિર મા સ્થાપિત શિવલિંગના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમા ટંકારાના ધાર્મિક વૃત્તિના પરમાર પરીવારના મોભી નંદલાલ નાગજી પરમાર ના સ્વૈચ્છિક અનુદાનથી યોજાયેલી શિવમહાપુરાણ સપ્તાહ  (શિવકથા) ના સાતમા દિવસે વ્યાસપીઠ પર બિરાજમાન રાજુબાપુએ સુંદર શૈલીમા શિવજી ની પુજા, શિવલિંગ પર કરાતા બિલીપત્ર અભિષેક ના મર્મ સાથે યજ્ઞ શા માટે ? કરવામા આવે છે. એનુ ધાર્મિક મહત્વ સમજાવતા મહાયજ્ઞ વખતે યજમાન તરીકે હ્યદયમા બદલાની (રાગદ્વેષ) ની ભાવના ન હોવી જોઈએ ઉપરાંત, કોઈ પ્રત્યે અપમાન નો ભાવ અને સન્માન ને ઠેસ પહોંચે એવા ભિતરમા ભાવ ન હોય ત્યારે જ મહાયજ્ઞ સફળ થાય અને સંપન્ન થાય છે. એ સમજાવી દક્ષ રાજાએ મહાદેવ સાથે બદલો લેવા અને મહાદેવ ના સન્માન ને ઠેસ પહોંચાડવા યોજેલા યજ્ઞથી માતા પાર્વતી ક્રોધિત થઈ ને યજ્ઞ મા સમાઈ ગયા નુ દષ્ટાંત આપી દેવાધિદેવ મહાદેવ અને મહાયજ્ઞ નુ મહત્વ સવિસ્તાર સમજાવ્યુ હતુ. ધાર્મિક શિવકથા મા શહેર ઉપરાંત પંથકના અનેક શ્રોતાઓ માટે બેઠક વ્યવસ્થા, સરબત,પાણી, સહિતની વ્યવસ્થા શુભવદન પરમાર, અરૂણ પરમાર, ગૌરવ પરમાર, મહિપતસિંહ ઝાલા, રાજુભાઈ ભાટીયા, કમલેશ કારાવડીયા, ગોવિંદ ભાટીયા સહિતના શ્રોતાજનોની દરકાર લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ટંકારાના આંગણે શિવ મહાપુરાણ સપ્તાહ (શિવકથા) સૌ પ્રથમ વખત યોજાઈ હોય અનેક ધાર્મિક લોકો કથા પાન કરવા ઉમટી પડી ધર્મ લાભ લઈ રહ્યા છે.