મોરબી: દુષ્કર્મ હનીટ્રેપ ના ગુનાહમાં ફસાવી દેવાની ધમકી આપનાર આરોપીઓ ના શરતી જામીન મંજુર

Advertisement
Advertisement

મોરબી જિલ્લા ના ટંકારા તાલુકા ના હરિપર ગામે અપહરણ કરી બળાત્કાર ના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી પાંચ લાખ પડાવી લેવાના ચકચારી હનીટ્રેપ ના આરોપી દિવ્યાબેન ઉર્ફે પુજાબેન રમેશભાઈ, હાર્દિક કિશોરભાઇ, વિપુલ રામજીભાઇ, રમેશભાઈ કાળુભાઇ ના શરતી જામીન મંજૂર કરાવતા વકીલ શ્રી કાનજી એમ. ગરચર.
આ ગુન્હામા હરીપર ગામના ફરીયાદીશ્રીના મોબાઇલ ફોનમાં અગાઉ એક અજાણ્યા નંબર પરથી કોલ આવતા તે સ્ત્રી દેવુબેન ઉર્ફે પુજાબેનના સંપર્કમાં આવેલા અને તે પુજા સાથે પરીચય કેળવી તા.૧૭/૦૧/૨૦૨૫ ના રોજ પુજાને કારમાં મળવા ગયેલા ત્યારે છતર ગામ નજીક એક સ્વીફટ કારમાં પાંચ ઇસમો વિરુધ્ધ ફરીયાદીશ્રીનુ અપહરણ કરી, મારમારી બળાત્કારના કેશમાં ફસાવી દેવાની ધાકધમકી આપી કુલ રૂપીયા ૫,૦૦,૦૦૦/- હનીટ્રેપ કરી પડાવી લીધેલ હોવાની ફરીયાદીએ તા.૧૯/૦૧/૨૦૨૫ ના રોજ ટંકારા પોલીસ સ્ટેશને ફરીયાદ જાહેર કરતા પોલીસે ગુનો નોધી આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ. કલમ ૧૧૫(૧),૩૫૧(૨),૩૦૮(૭),૧૪૦(૩),૬૧ મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ જે ગુનાની તપાસ દરમ્યાન ખાનગી રાહે હકિકત મળેલ કે, સદરહું ગુનામાં ઉપયોગ થયેલ સ્વીફટ કાર નં.GJ-36-AJ-9172| આરોપીઓ ટંકારા ઓવર બ્રિજના છેડે નવા બનતા શ્રીરામ પ્લાઝા કોમ્પ્લેક્ષ પાસેથી નીકળનાર છે. જે હકિકત આધારે પોલીસ તપાસમાં હતી. દરમ્યાન હકિકત વાળી સ્વીફટ કાર આવતા તેને રોકી તપાસ કરતા આરોપીઓ (૧) સંજયભાઇ ભીખાભાઇ ડારા ઉ.વ. ૨૪ રહે. ખેવારીયા તા.જી.મોરબી (૨) હાર્દીકભાઇ કીશોરભાઇ મકવાણા ઉ.વ. ૨૭ રહે. નાની વાવડી તા.જી.મોરબી (૩) દેવુબેન ઉર્ફે પુજા ઉર્ફે દિવ્યા વા/ઓ રમેશભાઇ જાદવ ઉ.વ. ૩૪ રહે. ટંકારા જી.મોરબી(૪)રમેશભાઇ કાળુભાઇ જાદવ ઉ.વ. ૪૫ રહે. ટંકારા જી.મોરબીને રોકડા રૂપીયા-૫,૦૦,૦૦૦/- અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૦૫ કી.રૂ. ૨૩,૦૦૦/ મારૂતી સ્વીફટ નંબર-GJ-36-AJ-9172 કી.રૂ.૩,૦૦,૦૦૦/-અન્ય મુદામાલ કુલ કી.રૂ. ૮,૨૫,૫૦૦/- નો મુદામાલ કબ્જે કરી આરોપીઓને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
ત્યારબાદ આ ગુના ની તપાસ દરમ્યાંન આરોપીઓ (૧) વિપુલ રામજીભાઇ (૨) હાર્દીકભાઇ કીશોરભાઇ (૩) દેવુબેન ઉર્ફે પુજા ઉર્ફે દિવ્યા વા/ઓ રમેશભાઇ (૪) રમેશભાઇ કાળુભાઇ ની ધરપકડ કરવામાં આવતા આરોપીએ મોરબી ના જાણીતા વકીલ શ્રી કાનજી એમ. ગરચર મારફતે સેશન્સ કોર્ટ મોરબી માં રેગ્યુલર જામીન દાખલ કરેલ અને મોરબી સેશન્સ કોર્ટ દ્રાવા આરોપી ના શરતી જામીન મંજૂર કરેલ જેમાં આરોપી તરફે મોરબી ના જાણીતા વકીલ શ્રી કાનજી એમ ગરચર રોકાયેલ હતા.