મોરબી: મયુરનગરીમાં ઉદ્યોગ સાથે બોગસ ડૉક્ટરોનો હરણફાળ વિકાસ ! 48 કલાકમાં 3 મુનાભાઈ ઝડપાયા
સમગ્ર વિશ્વમાં સીરામીક ઘડિયાળ ના ઉદ્યોગ હરણફાળ વિકાસ કરી રહ્યા છે શહેરનો ડંકો વિશ્વભરમાં વાગી રહ્યો છે સાથોસાથ ગુન્હાખોરી પણ વધતી જાય છે શહેરમાં વ્યાજખોરો જમીન પચાવી રહ્યા છે તો ક્યાંક નકલી દારૂનો વેપાર થઈ રહ્યો છે ત્યારે છેલ્લા 48 કલાકમાં 3 નકલી ડોકટર ઝડપાયા તેમાંથી એક બોગસ ડોકટરે તો પોતાના ઘરના ફળિયામાં જ દવાનો વેપાર શરૂ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવા લાગ્યો હતો.. જો કે પોલીસ હજુ સક્રિય થાય તો ઘણું આ શહેરમાં નકલી ધંધાનો કારોબાર મળે એમ છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પંચાસર રોડ મહાવીરનગરમાં રહેતા આરોપી અશ્વિનભાઈ વેલજીભાઈ નકુમના રહેણાંક મકાનમાં તપાસ કરી હતી જ્યાં આરોપી અશ્વિન નકુમ કોઈપણ ડીગ્રી વગર દર્દીઓની જિંદગી જોખમાય તેવી રીતે બીમાર દર્દીની સારવાર કરતા ઝડપાયો હતો પોલીસે નકલી ડોક્ટરને ઝડપી લઈને એલોપેથી દવાનો જથ્થો કીમત રૂ ૧૮,૭૬૨ નો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
જયારે સીટી બી ડીવીઝન પોલીસ ટીમ સામાકાંઠે નિત્યાનંદ સોસાયટી પાસે આવેલ શ્રીજી કલીનીક ખાતે તપાસ કરી હતી જ્યાં આરોપી પ્રણવકુમાર અશોકભાઈ ફડદુ (ઉ.વ.૨૪) રહે જનકલ્યાણેશ્વર મહાદેવ મંદિર પાસે મોરબી વાળાને ઝડપી લીધો હતો જે આરોપી કોઈપણ ડીગ્રી વિના દર્દીની સારવાર કરતા મળી આવ્યો હતો આરોપીને ઝડપી લઈને પોલીસે એલોપેથીક દવાનો જથ્થો કીમત રૂ ૮૯૪૧ નો મુદામાલ કબજે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે