વાંકાનેરના અગ્રણીએ મહાદેવને ધ્વજા રોહણ, સંત તેમજ શ્રેષ્ઠીઓનું સન્માન બટુક ભોજન, વૃક્ષા રોપણ, ભસ્મ આરતી જેવા પંચવિધ આયોજનો કરી જન્મ દિવસની ઉજવણી કરી
વાંકાનેર : જન્મ દિવસ એટલે હરવું ફરવું અને દિવસભર મોજ કરવી હોટેલમાં પાર્ટીઓ ગોઠવવી અને પિકચર જોવા વગેરે ફાલતુ ખર્ચાઓ અને તે પણ બિનજરૂરી આ એક પશ્ચિમી સંસ્કૃતિ નું આંધળું અનુકરણ કરીને જન્મ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે વાંકાનેર ભાજપના પ્રથમ હરોળના અગ્રણી શૈલેષભાઈ ઠક્કરના જન્મ દિવસની ઉજવણી વિવિધ સંસ્થાઓ દ્વારા અનોખી રીતે કરી હતી જે સમાજને પ્રેરણા પૂરી પાડે સાથે જ ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા માટે ઉપયોગી બને તેવા કાર્યક્રમો યોજવામાં આવેલ.
શહેરના શ્રી ગઢિયા હનુમાન મિત્ર મંડળ, સંતગણ , ગૌ સેવકો , શ્રી ગંગેશ્વર મહાદેવ મિત્ર મંડળ, પર્યાવરણ પ્રેમીઓ તેમજ શહેરના વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી સંસ્થાઓ દ્વારા રાજકીય સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે એક અનોખું સ્થાન ધરાવતા શૈલેષભાઈ ઠક્કરના જન્મ દિવસની ઉજવણી વિવિધતા સભર અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
કાર્યક્રમની શરુઆત સવારે શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરે શૈલેષભાઈ દ્વારા ધ્વજાજી ની પૂજા અર્ચના બાદ ધ્વજા રોહણ સાથે કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી. બાદમાં મંદિરના પટાંગણમાં વૃક્ષા રોપણ કરાયું હતું. ત્યાર બાદ ઉપસ્થિતિ કેરાળા ધામ જગ્યાના મહંત મુકેશભગત , ગાયત્રી શક્તિપીઠ મંદિરના મહંત અશ્વિનભાઈ રાવલ, રૂગનાથજી મંદિરના સંચાલક રેવાદાસજી આપા ઝાલાની જગ્યાના કોઠારી મગનીરામદાસજી તેમજ નાગા બાવાજી મંદિરના મહંત ખુશાલદાસજી સહિતના સંતોનું ઠક્કર દ્વારા સાલ ઓઢાડી ફૂલહાર પહેરાવીને સન્માન કરી ભેટ પૂજા કરી હતી સાથે જ શહેરના વિવિધ ધાર્મિક સામાજિક અને શૈક્ષણિક સંસ્થાના શ્રેષ્ઠીઓ નું સન્માન કરી મોમેંટો અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે વાંકાનેર રાજવી અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા તથા યુવા ઉદ્યોગપતિ જિલ્લા ભાજપના અગ્રણી પ્રજ્ઞેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શૈલેષભાઈ ઠક્કરને જન્મ દિવસની શુભકામના પાઠવી હતી તેમજ શહેર તથા તાલુકાના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સાથે પ્રસાદ ગ્રહણ કરેલ.




