વાંકાનેરના માટેલ રોડ પરથી સરતાનપર નજીક સિરામિક કારખાના પાસેથી એક યુવકનો મૃતદેહ મળી આવતા તપાસનો ધમધમાટ શરૂ.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર માટેલ રોડ ઉપર સરતાનપર નજીક આવેલ રામોજી સિરામિક કારખાના પાસેથી દીપકસિંહ ઓમપ્રકાશ ઠાકુર ઉ.34 રહે.સેન્ચુરો સિરામિક કારખાનું, લાકડધાર મૂળ રહે.ઉત્તરપ્રદેશ, બાંદા વાળાનો મૃતદેહ મળી આવતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃત્યુનું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.