પાવડીયારી કેનાલ નજીક લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ લેતા આધેડ નું મોત

Advertisement
Advertisement

મોરબીની પાવડીયારી કેનાલ નજીક ના લેબર ક્વાર્ટર માં 57 વર્ષીય આંધળે ગળે ફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું. ત્યારે આ બાબતે મૃત્યુનોંધ કરી પોલીસે તપાસ શરૂ કરી છે

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીની પાવડીયારી કેનાલ નજીક આવેલ સિયારામ સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા મોંટુસિંઘ વિજયસિંઘ ખુરમી ઉ.57 નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.