
આગામી મંગળવારે યોજાનારી લોકસભા ચુંટણી અંતગર્ત લોકો મા મતદાન અંગે જાગૃતિ લાવવા મતદાતા જાગૃતિ અભિયાન હેઠળ જીલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર, મેડીકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈ ની સુચના અન્વયે આયુષ્માન આરોગ્ય મંદિર વિરપર ખાતે સીએચઓ પ્રતિક ફુલતરીયા, એમપીએચડબલ્યુ કુણાલ ઠાકર, એફએચડબલ્યુ ભાવનાબેન જોગીયા તથા આશા વર્કર, આંગણવાડી કાર્યકરો દ્વારા મહેંદી સ્પર્ધા નુ આયોજન કરવામા આવેલ હતુ. હાથ મા મહેંદી લગાવી લોકોને લોકશાહીમા મતદાનનુ મહત્વ સમજાવવા તથા મતદાતા મા રાષ્ટ્ર હિત માટે મતદાન અવશ્ય કરવુ જોઈએ એ સંદેશો પાઠવી ૧૦૦ ટકા મતદાન થાય તેવી કામગીરી કરવામા આવી હતી.