મોરબીમાં પીપળીયા ચાર રસ્તા ઉપર દશેક ગાયો ટ્રેન અડફેટે આવી જતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા. જેમાં આઠેક ગાયોના મોત નિપજ્યા છે. જ્યારે બે ગાયો જીવતી હોય સેવાભાવી યુવાનોએ તાત્કાલિક આ ગાયોને યદુનંદન ગૌશાળાએ ખસેડી છે. પીપળીયા ચાર રસ્તા ઉપર ચોકડી પાસે ફાટક ઉપર દશેક ગાયો ઉભી હતી. અચાનક ટ્રેન પસાર થતા ટ્રેન અડફેટે તમામ ગાયો હવામાં ફંગોળાઈ હતી. આ બનાવમાં અંદાજે આઠ ગાયોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે બે ગાયો જીવતી હોય અહીંથી પસાર થતા સેવાભાવી યુવાનોએ આ ગાયોને સારવાર માટે યદુનંદન ગૌશાળા ખાતે મોકલી હતી. આઠેક મૃતક ગાયોના અંતિમ સંસ્કાર માટે પણ સેવાભાવી યુવાનોએ તૈયારીઓ શરૂ કરી છે. આ માટે ખાડો ખોદી અને જેસીબી વડે આ ગાયોને વિધિ અનુસાર તેમાં મૂકીને અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ સેવાકાર્યમાં હરેશભાઇ ડાંગર, માધવ ભાળજા, વિનાયકભાઈ મેરજા, વિજયભાઈ મિયાત્રા, મહેશભાઈ મિયાત્રા, રાજ પડસુંબીયા, હર્ષદીપદીપ સિંહ જાડેજા ,ભરતભાઇ લોખીલ, રવિભાઈ ડાંગર રોકાયેલ છે.