હળવદ તાલુકાના શિરોઈ નજીક આવેલા બ્રાહ્મણી-2 ડેમમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં મૃતક યુવાન અમદાવાદ ઠક્કરબાપા નગરમાં રહેતા પટણી શૈલેષકુમાર હોવાનું ખુલ્યું હતું. ઘટના અંગે હળવદ પોલીસે મૃતકના વાલી વારસનો સંપર્ક કરતા મૃતક યુવાન માનસિક અસ્વસ્થ હોવાનું ખુલ્યું હતું. જે બાદ હળવદ પોલીસે મૃતદેહનો કબજો તેમના વાલી વારસને સોંપી આપ્યો હતો.