મોરબી: અયોધ્યામાં શ્રીરામ ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાની કૈલાસ એપાર્ટમેન્ટમાં ધામધૂમથી ઉજવણી

Advertisement
Advertisement

અયોધ્યામાં શ્રીરામ ભગવાનના ભવ્ય મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાની ધામધૂમથી અને જોરદાર આતશબાજી સાથે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મોરબીના કૈલાસ એપાર્ટમેન્ટમાં પણ ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. આ સાથે જ વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં શ્રીરામ ભગવાનની આરતી, હનુમાન ચાલીસા, રાષ્ટ્રગીત, બાળકો દ્વારા વિવિધ ડાન્સ અને ખાસ નંદ ઉત્સવ પણ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે એપાર્ટમેન્ટના લોકોએ પણ ખુબ ઉત્સાહથી ધામધૂમથી ઉજવણી કરી હતી. આ સાથે જ લોકોએ મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો. આ સમગ્ર આયોજનમાં રવિભાઈ હિરાણીએ ભારે જહેમત ઉઠાવી હતી.