મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં સ્વચ્છતા સંકુલનું બાંધકામ શરૂ: ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની રજૂઆત ફળી

Advertisement
Advertisement

મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં 400 જેટલી બાળાઓ છે, શાળા PM SHREE પ્રોજેકટ માટે પસંદ થયેલી હોય શાળામાં ગર્લ્સ ટોયલેટની ખાસ જરૂર હતી. ત્યારે આ અંગે શાળાના આચાર્ય, સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો, ગ્રામજનોએ, વાલીઓએ દુર્લભજીભાઈ દેથરીયા સમક્ષ રૂબરૂ રજુઆત કરી હતી. જેથી મોરબી જિલ્લાના જાગૃત ધારાસભ્ય દ્વારા આ રજૂઆતને ગંભીરતાથી લઈને આ બાબતે તારીખ 13/10/2023નાં રોજ રાજ્ય અને જિલ્લા કક્ષાએ સમગ્ર શિક્ષા અભિયાનના અધિકારીઓને લેખિત તેમજ મૌખિક રજુઆત કરતા આઠ ખાના ધરાવતું સ્વચ્છતા સકુંલ મંજુર થતા શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા તારીખ 01/11/2023નાં રોજ મંજૂરી મળતા બાંધકામની શરૂઆત કરવામાં આવતા ગ્રામજનોએ, સમિતિના સભ્યોએ, શાળા પરિવારે દુર્લભજીભાઈ દેથરીયાનો આભાર પ્રકટ કરેલ છે.