
ફરીયાદ પક્ષના કેસની ટુંકમાં હકીકત એવી છે કે ભોગ બનનારે તા. ૪/૮/૧૯ થી તા. ૨૫/૮/૧૯ ના કલાક ૨૩-૫૫ ના સમય ગાળા દરમ્યાન આરોપી જયસુખ ઉર્ફે જયેશ મનસુખભાઈ બાવરવા એ આ કામના ભોગ બનનાર ફરીયાદી બેન અનુ. જાતીના હોવા અંગેનુ જાણવા છતાં ફરીયાદી બેન મજુરી કામ કરતા હતા ત્યારે અવાર નવાર અશ્લીલ ઈશારા કરી તેમજ તેમની ઈચ્છા વિરૂધ્ધ શરીર સંબંધ બાંથી બળજબરી થી શરીર સંબંધ બાંથી પ્રવેશ જાતીય હુમલો કરી આ વાતની કોઈ ને વાત કરીશ તો જાનથી મારી નાખવાની ઘમકી તેમજ આરોપી નં. ૨ દિપક દશરથભાઈ અણેવાડીયા આરોપી નં. ૧ ના એ જે કર્યુ તે જોણતા હોવા છતાં આ વાત કોઈ ને કરશે તો બંન્ને ભેગા મળી જાનથી મારી નાખવાની ઘમકી આપી ભુંડાબોલી ગાળો આપી ફરીયાદી બેન ના અસ્લીલ ફોટા મેળવી ફરીયાદી ના સંબંધીઓને વોટસએપ ધ્વારા મોકલી બદનામ કરી ગુનામાં એકબીજા ને મદદગારી કરી ગુનો કર્યાની ફરીયાદ આપેલ જે કેસ મોરબી ની સ્પે. એટોસીટી કોર્ટ ના ન્યાયધીશ એડી. સેસન્સ જજ શ્રી એમ. આર. નાદપરા સાહેબની કોર્ટ માં ચાલી જતા આરોપી ઓના વ. શ્રી મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) ત્યા કુ. મેનાઝબેન એ. પરમાર એ ઘારદાર દલીલો તથા નામ ગુજ. હાઈકોર્ટના ચુકાદા ઓ રજુ કરતા આરોપીઓના વકીલ શ્રી મનીપ પી. ઓઝા (ગોપાલભાઈ ઓઝા) ની દલીલો માન્ય રાખી આરોપીઓને એટ્રોસીટી તથા બળાત્કાર ના કેસ માં નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે. અને આરોપીઓ તરફે વ.શ્રી મનીષ પી. ઓઝા (ગોપાલભાઈ ઓઝા) ની દલીલો માન્ય રાખેલ છે.


