
સમગ્ર રાજ્ય અને જગત આખા ને હચમચાવતી પ્લેન ક્રેશ
દુર્ઘટના ઘટી હોવાથી ગુજરાતી ઓ સમાચાર જાણી સ્તબ્ધ થઈ ઉઠ્યા છે. ત્યારે ટંકારા ખાતે આવેલ મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ભવન મા ધમધમતી મહાવિદ્યાલય ગુરૂકુળ પણ ભારે વ્યાકુળ બની ગુરૂવારે સંધ્યાકાળે ગુરૂકુળ ના ઋષિકુમારોએ અકસ્માતે મૃત્યુ પામેલા તમામ મૃતકો ના આત્માની શાંતિ માટે શાંતિ યજ્ઞ યોજી યજ્ઞ કુંડ મા મંત્રોચ્ચાર સાથે આહુતિ આપીને વિદ્યાલયના પ્રાચાર્ય ના આચાર્ય પદે શાંતિ પાઠ કર્યા હતા.
મહર્ષિ દયાનંદ સરસ્વતી જન્મભૂમિ ટંકારા ખાતે આર્ય ધર્મ ની આહલેક જગાવતુ વિશાળ મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ભવન આવેલ છે. અહીંયા મહાવિદ્યાલય ગુરૂકુળ ધમધમે છે. ગુરૂવારે બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટના થી સમગ્ર જગતને દુઃખદ આંચકો લાગ્યો છે. ત્યારે આર્યસમાજ સંસ્થાએ દુઃખ ની લાગણી અનુભવી તમામ મૃતકો ના આત્માની શાંતિ માટે ગુરૂકુળ ના ઋષિકુમારો દ્વારા યજ્ઞશાળા મા વૈદિક મંત્રોચ્ચાર સાથે શાંતિ યજ્ઞ યોજી સદગત મૃતકોના આત્મા ને પરમ શાંતિ પ્રાપ્ત થાય એ માટે મંત્રોચ્ચાર સાથે યજ્ઞ મા આહુતિ અર્પી હતી. યજ્ઞ બાદ આર્યસમાજ ના પ્રાચાર્ય ના આચાર્ય પદે પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. આ તકે, મૃતક ના પરીવારજનો મા દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન થાય એ માટે બ્રહ્મસમાજ સંસ્થા ના યુવા અગ્રણી કૌશિક ત્રિવેદી ની ઉપસ્થિતિમા મંત્રોચ્ચાર સાથે વિશેષ આહુતિ અપાયી હતી.