
ટંકારા તાલુકાના નેસડા ગામે હાટકેશ્વર મહાદેવ મંદિરે યોજાયેલા મોરબી જીલ્લા ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓ માટે ના બે દિવસીય પ્રશિક્ષણ વર્ગ મા કિશાન સંઘ ની સ્થાપના નો હેતુ, સંઘની કાર્યપધ્ધતિ, સંગઠન સહિતની બાબતો પર પ્રકાશ પડાયો હતો.

મોરબી જીલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ બાબુલાલ સિણોજીયાના અધ્યક્ષ સ્થાને બે દિવસીય પ્રશિક્ષણ વર્ગ નુ આયોજન ટંંકારા તાલુકાના નેસડા (ખા) ગામે આવેલ મહાદેવ મંદિરે કરવામા આવ્યુ હતુ. આ વેળાએ તાલુકા પ્રમુખ -મંત્રીઓ સહિત જીલ્લાની પૂર્ણ કારોબારી ઉપસ્થિત રહી હતી. વર્ગ મા ભા.કિ.સંઘના પ્રદેશ કારોબારી સભ્ય મનસુખભાઈ પાટોળીયા, પ્રદેશ જળ આયામ પ્રમુખ ભીખાદાદા સહિતનાઓની ઉપસ્થિતિમા દિપ પ્રાગટ્ય અને કિસાન ગીત સાથે કાર્યક્રમ વહેતો મુકાયો હતો. જેમા, પટોળિયા એ કિસાનસંઘની સ્થાપનાનો હેતુ, કાર્યપધ્ધતિ, સંગઠનની નીતિ-રીતિમા કાર્યકર્તા ની જવાબદારી અને કાર્ય અંગે સમજ અપાઈ હતી. ભીખુદાદાએ સંઘના સ્થાપક દતોપંત ઢેંગડેજી ના જીવન ચરિત્ર ઉપર ઉંડાણ પૂર્વક સમજ આપી કાર્યકર્તા ની જિજ્ઞાસાનુ સમાધાન કરાયા બાદ ગ્રામ સમિતિના કાર્યથી ગ્રામ ઉત્થાનમા કાર્યકર્તા ની નૈતિક ફરજ અંગે છણાવટ કરી જવાબદારીનુ માર્ગદર્શન અપાયુ હતુ. બીજા સેશનમા માથક ના દાજીબાપુ એ ખેતી અને ગાય એકબીજા ના પુરક ગણાવી ગૌ સેવા કરવા ગાય નુ મહત્વ અને મહાત્મ્ય સમજાવી ગૌમુત્ર -છાણ, દુધ અને ગૌમાતા મૃત્યુ બાદ પણ કેટલી ઉપયોગી છે તેની વિસ્તૃત માહિતી આપી હતી. આ તકે, જીલ્લા ઉપપ્રમુખ આશિષ કગથરા, મંત્રી નાથાલાલ ઢેઢી, કોષાધ્યક્ષ પ્રજ્વલ દેત્રોજા, યુવા પ્રમુખ ભાવેશ ભોરણીયા સહિતના જોડાયા હતા.