
અમદાવાદ ખાતે ગુરૂવારે બનેલી વિમાન દુર્ઘટનામા અનેક નિર્દોષ લોકો એ જીવ ગુમાવ્યા છે, દુર્ઘટના થી ગુજરાત ઉપરાંત, સમગ્ર દેશ અને દુનિયા અત્યંત દુઃખ ની લાગણી અનુભવી વ્યથિત થયો છે. અઘટીત બનાવથી વ્યથિત થઈ ટંંકારા તાલુકાના વકીલ મંડળ (બાર એસોસિયેશન) એ શુક્રવારે બપોર બાદ કામગીરી થી અલિપ્ત રહી કોર્ટ બિલ્ડીંગ મા મેજ સામે કોર્ટ સ્ટાફ સાથે ઉપસ્થિત રહી તમામ મૃતકો ના મૃત્યુ નો મલાજો જાળવી બે મિનિટ મૌન પાળી ઊંડો શોક વ્યક્ત કરતો ઠરાવ પસાર કરી સદગત આત્માને સદગતિ અને શાંતિ માટે પ્રભુ પ્રાર્થના કરી હતી.
ટંકારા કોર્ટ બિલ્ડીંગ ના વકીલ રૂમમા ટંકારાના વકીલ મંડળ ના પ્રમુખ સંજય ભાગીયા, સેક્રેટરી અતુલ ત્રિવેદી, ઉપપ્રમુખ રાહુલ ડાંગર ઉપરાંત, પૂર્વ પ્રમુખ પિયુષ ભટાસણા, પરેશ ઉજરીયા, અરવિંદ છત્રોલા, અલ્પેશ દલસાણીયા, અમીત જાની, જયશ્રીબેન સિણોજીયા, હિરેન નિમાવત સહિતના તમામ વકિલ મિત્રોએ બપોર બાદ કામગીરી થી અલિપ્ત રહી મેજ સામે ઉભા રહી ગુરૂવારે બનેલી વિમાન દુર્ઘટના મા માર્યા ગયેલા તમામ મૃતાત્માઓને શ્રધાંજલિ પાઠવવા પ્રારંભે બે મિનિટ મૌન પાળી સદગત આત્માની શાંતિ અને સદગતિ માટે ઈશ્ર્વર ને પ્રાર્થના કરી મૃતક ના પરીવારજનો ને પ્રભુ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે એવી અભ્યર્થના સાથે બાર એસોસિયેશને શોક ઠરાવ પસાર કર્યો હતો. આ તકે, પ્રાર્થના સભામા કોર્ટ કર્મચારી મિત્રોએ જોડાઈને શ્રધાંજલિ અર્પણ કરી હતી.