ટંકારામા સરકારી ફરજ નેવે મુકીને બેરોકટોક ખાનગી હાટડી ચલાવતા તલાટીઓ સામે વકીલોનુ આવેદન 

Advertisement
Advertisement
વકીલોએ સરકારી ફરજ સુસ્તી અને સરકારી પગાર કટકટાવી સરકારી તિજોરી લુંટતા તલાટીઓ સામે બંડ પોકારી આવેદનપત્ર પાઠવ્યુ.
ટંકારા તાલુકામા સરકારી ફરજ બજાવતા તલાટી મંત્રીઓ પોતાની ફરજ ફરજ નિષ્ઠા થી બજાવવા ને બદલે ઉઘાડે છોગ ખાનગી હાટડીઓ ખોલી મહેસુલી કામો કરી વગર ડિગ્રી ના વકિલો બની જીલ્લા ની કચેરીઓમા બેરોકટોક પ્રેક્ટીસ કરી રહ્યા હોવાની ફરીયાદ સાથે ટંકારા વકીલ મંડળે મામલતદારને ખાનગી મલાઈમા રસ ધરાવતા આવા સરકારી બાબુઓને ફરજ મુક્ત કરવા માંગણી કરતુ ધગધગતુ આવેદનપત્ર પાઠવતા ખળભળાટ મચ્યો હતો.
ગુરૂવારે ઉઘડતી કચેરી એ ટંકારા વકીલ મંડળ (બાર એસોસિયેશન) ના પ્રમુખ સંજય ભાગીયા, ઉપપ્રમુખ રાહુલ ડાંગર, સેક્રેટરી અતુલ ત્રિવેદી, પૂર્વ પ્રમુખ રમેશભાઈ ભાગીયા, ઉપરાંત, પૂર્વ પ્રમુખ પરેશ ઉજરીયા, અમીત જાની, બદરૂદ્દીન હાલા, મુકેશ બારૈયા, જયશ્રીબેન સિણોજીયા, વિવેક પરમાર, હિરેન નિમાવત, કલ્પેશ સેજપાલ, છત્રોલા, ભટાસણા સહિતના તમામ વકિલ મિત્રો એ મામલતદાર કચેરીએ પહોંચી મામલતદાર પી.એન. ગોર ને આવેદનપત્ર પાઠવી લેખિત ફરીયાદ કરી હતી કે, ટંકારા તાલુકાના જુદા જુદા ગામડાઓમા તલાટી તરીકે સરકારી ફરજ બજાવતા  તલાટીઓ પૈકીના દિવ્યેશ રાજકોટીયા, ગોસ્વામી, હરદેવસિંહ જાડેજા સહિતના અનેક તલાટીઓ પોતાની સરકારે સુપરત કરેલી ફરજ ઉપર સરકાર અને અરજદારો ને વફાદાર રહીને કામગીરી કરવાને બદલે ટંકારા તાલુકા મથકે તાલુકા પંચાયત સામે જ ઉઘાડે છોગ ખાનગી દુકાન (ઓફીસ) ખોલી રેવન્યુ સહિતના કામોની છેલ્લા ઘણા સમયથી પ્રેક્ટીસ કરી રહ્યા હોવાનુ જગજાહેર છે. તેમ છતા તેઓ પ્રત્યે જવાબદાર તંત્ર આંખ મિચામણા કરી રહ્યા હોવાનુ અને બેરોકટોક ધમધમતી દુકાનો થી ફલિત થઈ રહ્યુ છે. વકીલોએ રજુઆત મા જણાવ્યુ હતુ કે, અસીલ ની જે કામગીરી કરીએ છીએ એ તમામ પ્રકારના કાર્ય સરકારી ફરજ નેવે મુકી કરતા હોય જે બંધ કરવા અને સરકારી કાર્ય ને બદલે ખાનગી કાર્ય કરવા બદલ શિક્ષાત્મક પગલા લેવા રેવન્યુ બાર એસોસિયેશને માંગણી કરતા ઉમેર્યુ હતુ કે,
નામજોગ ના તલાટીઓ પોતાના ટાઉટને મંત્રીઓએ ખોલેલી રેવન્યુ સહિતના ખાનગી કામો માટે ની હાટડી ઉપર બેસાડી છેલ્લા ઘણા સમયથી બેરોકટોક પ્રેક્ટીસ કરી રહ્યા છે. સ્થાનને વહીવટી તંત્ર ના કાર્યક્ષેત્રમા  આવતા તલાટીઓને ખાનગી ધંધા બંધ કરાવવા અને દાખલારૂપ શિક્ષાત્મક પગલા લેવા તેમજ સરકારી કામકાજ કરવાને બદલે લોકો ને ખંખેરી જલ્દી રોકડી કરી લેવાની લ્હાય મા આ તમામ તલાટી મંત્રીઓ સરકારનુ કામ મા નિષ્ઠા દાખવવાને બદલે ખાનગી કામો ને અગ્રતા આપી સરકાર ની તિજોરી ને નુકશાન પહોંચાડી ખોટો પગાર મેળવી રહ્યા છે. અને ખાનગી ઓફીસ ચલાવી પગાર કરતા અનેકગણી આવક મેળવી રહ્યા હોવાનુ છડે ચોગ ધ્યાને આવે છે. અને મલાઈ તારવી આ સરકારીબાબુઓ નિમણુંક પામ્યા બાદ ખાનગી ઓફીસ અને ખાનગી કામ થકી કેટલા આર્થિક સંપન્ન થયા છે એ તપાસવા નોકરીના સમયગાળા ના પગારની ગણતરી કરી તેઓની સ્થાવર જંગમ મિલકતો ની તપાસણી કરવા પણ ભાર પૂર્વક માંગણી દોહરાવી હતી. આવેદનપત્ર ના અંતમા, સરકારી કામકાજ ના કામો ખાનગી પ્રેક્ટીસ દ્વારા ખાનગી હાટડી ચલાવી ને  વારસાઈ આંબા, વારસાઈ એન્ટ્રી, હક કમી વહેચણી, સુધારા વધારાના કાર્ય, નાની મોટી અપીલ ના કામો, ગ્રામ્ય વેચાણ વ્યવહારના દસ્તાવેજ અને નોંધો, જન્મ મરણ સહિતના અનેક કામો કરી રહ્યા હોવાથી વકીલ બનવા પોતાના પરીવારની આર્થિક મદદથી ડિગ્રી મેળવી સનંદ મેળવનારા જુનિયર વકિલોના પેટ ઉપર લાત મારવાની કુચેષ્ટા આ તલાટીઓ કરી રહ્યા હોવાથી સરકાર ના દ્રોહ સબબ ગુનો બનતો હોય ફરજ મુક્ત કરી ખુલ્લા મેદાનમાં ફરીથી ભણી ને વકિલાત નો અભ્યાસ કરી સનંદ મેળવી અમારા ક્ષેત્રે જોડાઈ શકે એ માટે દાખલારૂપ શિક્ષાત્મક સરકાર અને અને અરજદારો ના હિતમા કાર્યવાહી કરવા ની લાગણી માંગણી મા રજુ કરી હતી. માંગણી પરત્વે દિન ૧૫ મા પગલા ન લેવાઈ તો ઉચ્ચ કક્ષાએ ફરીયાદ કરી વધુ આક્રમક પગલા ભરવાનુ અલ્ટીમેટમ આપ્યુ હતુ.
——————————————————————————-
છીછરી લાંચિયા વૃત્તિ ત્યજી વકીલાત કરવા આમંત્રણ.
—————————————————————————–
ટંકારા બાર એસોસિયેશને ગેરકાયદેસર ખાનગી કામો કરતા તલાટીઓને આવેદનપત્ર મા અનુરોધ કર્યો હતો કે, પોતાની ફરજ ઉપર નિયમિત હાજર રહી અરજદારો ને ધક્કા ખવડાવી થકવવાને બદલે સરકાર અને અરજદારો ના વફાદાર બની ફરજ બજાવવા ટકોર કરી, તગડો પગાર મેળવવા છતા જો આર્થિક ભૂખ ન સંતોષાતી હોય અને ખાનગી કામગીરી મા જ રસ હોય તો સરકારી નોકરી ત્યાગી નિયમ મુજબ વકિલાત ની ડિગ્રી હાંસલ કરી વકિલાત ક્ષેત્રમા આવી તંદુરસ્તી સાથે મેદાનમા ઉતરી આનંદ થી પ્રેક્ટીસ કરો તમામ સહકાર આપીશુ અને તે વકીલોને ગમશે. હાલ તો છિછરી મનોવૃત્તિ ત્યજી પગભર થવા મથતા અમારા જુનિયર મિત્રો ના પેટ ને લાત મારવાનુ ટાળી વકીલાત ક્ષેત્રમાં આવવા ખુલ્લુ આમંત્રણ પાઠવાયુ હતુ.