બ્રેકિંગ: જીવાપર ગામે બોગસ ખેડુત બની જમીન ખરીદી બોગસ ખેડુત ખાતેદાર બની બેઠેલા એ ટંકારામા વધુ બે જમીન ખરીદી હોવાનુ મનાય છે.

Advertisement
Advertisement
બોગસ કૌભાંડ પ્રકરણે કલેકટરે જમીન ખાલસા કરી રૂ. ૩૨.૯૦ લાખ નો દંડ ફટકાર્યો.
ઓટાળા અને કચ્છના સુઈ ગામના ખેડુતના ભળતા નામે હરબટીયાળીના એક પરીવાર ના ૬ ઈસમોએ જમીન ખરીદી લીધી હતી.
 ખેતીની જમીનો કિંમતી બન્યા બાદ વારંવાર જમીનોના કૌભાંડો ના સમાચારો ચમકી રહ્યા છે. ત્યારે ટંકારા તાલુકામા પણ બોગસ ખેડુત ખાતેદાર બની તાલુકાના જીવાપર ગામે જમીન ખરીદી બોગસ ખેડુત ખાતેદાર બની ગયા નો કિસ્સો પ્રકાશમા આવતા જીલ્લા કલેકટરે આકરા તેવર બતાવી હરબટીયાળીના એક જ પરીવાર ના છ સભ્યો બોગસ ખેડુત બની જમીન ખરીદી હોવાથી કરોડોની કિંમતી જમીન ખાલસા કરવા અને તમામ બિન ખાતેદાર ખેડુત ને રૂપિયા ૩૨.૯૦ લાખનો દંડ ફટકાર્યો હતો. જોકે, આ ખેડુતે ટંકારા મા પણ નદી કાંઠે વધુ બે જમીન ખરીદી હોવાનુ અંગત સુત્રો માથી જાણવા મળ્યું છે.
આ કેસની વિગત એવી છે કે, ટંકારા તાલુકાના હરબટીયાળી ગામના રાઘવજીભાઈ મોહનભાઈ, સવિતાબેન રાઘવજી,  રજીનીકાંત રાઘવજી, ભાવેશ રાઘવજી, કિરીટ રાઘવજી અને શિલ્પાબેન રાઘવજી એ જીવાપર ગામના સર્વે નંબર 167 પૈકી ૧ ની જમીન ખરીદ કર્યા બાદ તેની રેવન્યુ રેકર્ડમા‌ નિયમ મુજબ નોંધ પડી ગઈ હતી. નોંધ પડયા પછી આ પરીવારના સભ્યો એ ખેડુત ખાતેદાર હોવા અંગેનુ પ્રમાણપત્ર મેળવવા માટે મહેસુલ વિભાગ ના આઈઓઆરએ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરતા પ્રાંત અધિકારીને જમીન ખરીદનાર ઉતરોતર ખેડુત ખાતેદાર હોવા અંગે શંકા જતા મામલતદાર ટંકારા મારફતે ઉપરોક્ત નોંધ સહિતની બાબતો ચકાસી અને ખરાઈ કરવા અને તપાસ કરી અહેવાલ મોકલવા સુચના આપતા ટંકારા મામલતદારે તપાસ હાથ ધરતા રાઘવજી મોહન ઓટાળા ગામે જમીન ધરાવતા હોવાના પુરાવા સાથે જીવાપર મા જમીન ખરીદી હોવાનો રીપોર્ટ તલાટી એ આપતા ઓટાળા નુ રેકર્ડ તપાસતા ભાંડો ફુટયો હતો. હકિકતે ઓટાળા ગામે ખેતીની જમીન ધરાવતા મોહનભાઈ હીરાભાઈ રાવરીયા અને હરબટીયાળીના રાઘવજી ના પિતા મોહનભાઈ અલગ હોવાનુ સામે આવ્યુ હતુ. અહીંયા અન્ય ગામના ભળતા નામનો ઉપયોગ કરી બોગસ ખેડુત બનવાનો કારસો કરાયા નો અહેવાલ નાયબ કલેકટર મોરબી સમક્ષ રજુ થતા જ નાયબ કલેકટરે ધગધગતો રીપોર્ટ કલેકટર ના ટેબલ પર મુકતા કલેકટર કિરણભાઈ ઝવેરી ચોંકી ઉઠ્યા હતા. અને તપાસ ના અંતે, આકરા તેવર દાખવી કેસ રીવિઝનમા લઈ ને મામલતદાર ને સૌરાષ્ટ્ર ઘરખેડ કાયદાની કલમ 54 ના ભંગ બદલ સબબ પગલા લઈ વેચાણ વ્યવહાર ગેરકાયદેસર ગણી સર્વે નંબર ૧૬૭ પૈકી ૧ ની જમીન હે. ૧-૪૦-૬૩ (૧૪૦૬૩ ચો.મી.) સરકાર હસ્તક લઈ લેવા હુકમ કર્યો હતો. અને ત્રણ ગણી જંત્રી મુજબ રૂપિયા ૩૨,૯૦,૭૪૨/- નો બોગસ ખેડુત ખાતેદારોને દંડ ફટકાર્યો હતો. જોકે, કલેકટર સમક્ષ ચાલેલા કેસ દરમિયાન અરજદારોએ પોતાના બચાવમા તેઓના દાદા હીરાભાઈ રવાભાઈ કચ્છ જીલ્લાના રાપર તાલુકાના સુઈ ગામના ખાતેદાર હતા. અને તેના આધારે ટંકારા તાલુકામા  જમીન ખરીદી હોવાની રજુઆતો રજુ કરી હતી. પરંતુ, કલકેટર ની તપાસમા કચ્છ ના સુઈ ના ખેડુત હીરાભાઈ રવા એ હૈયાતીમા જ ૧૯૯૩ મા તેમના પુત્રો ભીખાભાઈ અને કેશાભાઈને વહેંચણી કરી દીધી હોવાનુ ખુલ્યુ હતુ. આ મામલે કલેકટર ના આદેશ થી સ્થાનિક તંત્રે વધુ તપાસ ધરતા આ બની બેઠેલા બોગસ ખેડુત ખાતેદારો એ ટંકારાના ડેમી નદી કાંઠે સર્વે નંબર ૧૫૫ પૈકી ૨- અને ૧૫૫ પૈકી ૩ ની ૧૫ વિઘા જેટલી સાંથણીની જમીન ખરીદી હોવાનુ આધારભૂત સુત્રોમાથી જાણવા મળ્યુ હતુ. અને હાલ આ જમીનની બજારકિંમત કરોડો ની ગણાય છે. અને આ જમીન પણ ખાલસા કરી સરકાર હસ્તક લેવા ધગધગતો રીપોર્ટ કલેકટર ને મોકલાયો હોવાનુ સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.