ટંકારા: પટેલ સમાજ એસોસિયેશનના ઉપપ્રમુખ પદે એડવોકેટ ઉજરીયાની વરણી.

Advertisement
Advertisement

ટંકારા ખાતે છેલ્લા ઘણા સમયથી પાટીદાર વેપારી મિત્રો દ્વારા પટેલ સમાજ એસોસિએશનની સ્થાપના કરવામા આવી છે. એસોસિયેશન ના મિત્રો દ્વારા સમાજના સારા નરસા પ્રસંગો ઉપરાંત, સમાજોપયોગી કાર્યો કરી ઉપયોગી થાય છે. ગત ટર્મ ના હોદ્દેદારો ની અવધિ પૂર્ણ થતા એસોસિયેશન ની કારોબારી સમિતી દ્વારા નવા હોદેદારોની વરણી કરવા માટે બેઠક બોલાવવામાં આવી હતી. જેમા, તમામ સભ્યો ને સહમતી થી બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. જેમા,ઉપપ્રમુખ તરીકે એડવોકેટ પરેશભાઈ ઉજરીયા ઉપરાંત, પ્રમુખ તરીકે પ્રવીણભાઈ લો, ઉપપ્રમુખ મહેશભાઈ રાજકોટિયા, મંત્રી વિજયભાઈ કણસાગરા અને નાનજીભાઈ મેરજા ને નિયુક્ત કરાયા હતા.