
ટંકારા હાઈવે પર આવેલા ઓવરબ્રિજ ઉપરથી નજીકના જબલપુર ગામની પ્રૌઢા એ રવિવારે વહેલી સવારે પડતુ મુકી મોતની છલાંગ લગાવી હોવાનુ જાણવા મળેલ છે. ગામડાની મૃતક મહિલાના પતિનુ સાતેક મહિના પૂર્વે ગત શિયાળા ની કાતિલ ટાઢ મા ઠંડીમાં ઠુઠવાઈ જતા મોત નિપજયા બાદ સતત ગુમસુમ રહેતા હતા. અને પુત્ર ડોક્ટર હોવાનુ અને અપરણિત હોવાનુ પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતુ.
ટંકારા મધ્યે થી રાજકોટ મોરબી રાજ્ય ધોરીમાર્ગ પસાર થાય છે. ટંકારા ખાતે લતીપર ચોકડી ઉપર હાઈવે ઉપર ઓવરબ્રિજ બનાવાયો હોય એ મહર્ષિ દયાનંદ ઓવરબ્રિજ પરથી નજીક ના જબલપુર ગામ ના બાવન વર્ષિય ભાવનાબેન હસમુખભાઈ કગથરા નામના પ્રૌઢ વયના મહિલાએ રવિવારે વહેલી સવારે પડતુ મુકી આત્મહત્યા કરી લીધી હોવાનુ જાણવા મળ્યુ હતુ. મોત ની છલાંગ લગાવી મોત વહાલુ કરનારા નાનકડા ગામડાના મહિલા ના પતિ હસમુખભાઈ ગત શિયાળામા કોઈ કામ સબબ ધ્રોલ ગયા બાદ મોટરસાયકલ પર પરત મોડીરાત્રે ફર્યા હોવાથી ટાઢ ચડી હતી અને ઘરે આવી સુઈ ગયા બાદ સવારે ઉઠ્યા નહોતા. ગામડે થી જાણવા મળ્યા પ્રમાણે તેઓનુ ઠંડીમા ઠુંઠવાયા હોવાથી મોત નિપજયુ હતુ. પતિના મૃત્યુ બાદ વિરહમા રહી એકલતા અનુભવી ગુમસુમ રહેતા હતા. જોકે, પરીવાર મા બીજી કોઈ તકલીફ નહોતી. ખેતીની જમીન ધરાવતા હોય ઉંમર વર્ષ 52 અગમ્ય કારણોસર આજે વહેલી સવારે ઉપરાંત, બે સંતાન પૈકી પુત્રી ગામ મા જ સાસરૂ ધરાવે છે. અને પુત્ર પણ ડોક્ટર બની હાલ સ્થાનિકે પ્રેક્ટીસ કરી રહ્યા છે. અને અપરણિત છે. બંને મા અને પુત્ર સારી રીતે જીવન વ્યતિત કરી રહ્યા હતા. તેમ છતા અંતિમ વાટ પકડીને મોત વહાલુ કરવાના પ્રકરણમા મોતનુ કારણ અકબંધ રહ્યુ છે.બનાવ અંગે પોલીસ દફતરે નોંધ થયા નુ જાણવા મળ્યું નથી.