ટંકારાના વૃધ્ધ માવતર ના કંધોતર પુત્ર ના બાવળા હાઈવે પર અકસ્માતે મોત થી ગામ હિબકે ચડયુ.

Advertisement
Advertisement
બે સંતાન પૈકી એક પાંચ વર્ષ પૂર્વે મૃત્યુ પામ્યા બાદ બીજા ના મોત ના સમાચારે વૃધ્ધ માતા પિતા ભાંગી પડ્યા.

ગત સોમવારે મોડી રાત્રે રાજકોટ બાવળા હાઈવે પર કેરાળા ગામ નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમા ટંકારાના આશાસ્પદ યુવાન પરીણીત યુવાન નુ મોત નિપજતા ભારે કરૂણાંતિકા સર્જાઈ હતી. અકસ્માતે મોત ને ભેટેલા પરમાર પરીવાર ના ચાર સંતાનોમા બે ભાઈ અને બે બહેનો પૈકી ત્રીજા નંબરના યુવક ના મોટાભાઈનુ પાંચેક વર્ષ પૂર્વે જ મોત નિપજયુ હતુ. પત્નીને તેડવા અમદાવાદ જઈ રહેલા મૃતક યુવાનની બે માસુમ બાળકી એ પિતા ની છત્રછાયા ગુમાવી છે. ઉપરાંત, પિતા ના બંને કંધોતર પુત્રો ના આકસ્મિક મોત થી પરીવાર પર દુઃખ નુ આભ ફાટ્યુ હોય હૈયાફાટ રૂદને ઉપસ્થિત કઠણ કાળજાના માણસને હચમચાવી મુક્યા હતા. શહેરભરમા શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
અકસ્માત ના કરૂણ બનાવની વિગત અનુસાર ટંકારાના સસ્તા અનાજની સરકાર માન્ય પિતા ની શોપ ચલાવતો શુભવદન નંદલાલ પરમાર પોતાની પત્ની બે દિકરી મહેક (ઉ.વ.૭) અને ક્રિષા (ઉ.વ.૫) સાથે વેકેશન હોવાથી અમદાવાદ રહેતી બહેન ના ઘરે ગઈ હોવાથી તેડવા માટે ટંકારા થી સોમવારે રાત્રે પોતાની કાર હંકારી નિકળ્યો હતો એ વખતે રાજકોટ બાવળા હાઈવે પર કેરાળા નજીક હાઈવે પર થંભેલા બંધ ટ્રક પાછળ અકસ્માતે કાર અથડાતા સ્થળ પર મોત નિપજયુ હતુ. બનાવની કરૂણતા એ છે કે, અકસ્માતે મોત ને ભેટેલા યુવાન બે ભાઈ અને બે બહેન મા ત્રીજા નંબરે હતો. આજથી પાંચેક વર્ષ પૂર્વે મોટાભાઈ નુ યુવાન વયે આકસ્મિક સંજોગોમા નિધન થયા બાદ પિતાનો આધારસ્તંભ હતો. યુવાનના મોત થી મોચી સમાજના અગ્રણી નંદલાલભાઈ નાગજીભાઈ પરમાર પરીવાર ઉપર કુદરત નો કેર વરસ્યો હોય એવા દ્શ્યો સર્જાયા હતા. અને સંતાનમાં બે માસુમ બાળકી અને પત્ની અનિતા ઉપર આભ ફાટયુ હતુ. અકસ્માત ની ઘટના બાદ મૃતદેહ ટંકારા લવાતા ભારે કરૂણ દ્શ્યો સર્જાયા હતા. અને કોણ કોને છાના રાખે એવા કરૂણ દ્શ્યે ઉપસ્થિત કઠણ કાળજાના માણસોની આંખો ઉભરી આવી હતી. હચમચાવતી ઘટનાથી નગરમા શોક નુ મોજુ ફરી વળ્યુ હતુ.
————————————————————————————-
પિતા ની ઈચ્છા પૂર્ણ કરવા મૃતક યુવાને શિવ મહાપુરાણ સપ્તાહ યોજી હતી.
———————————————————————————–
પિતા નંદલાલભાઈ પરમારે ટંકારા પોલીસ કવાટર્સ ના પ્રાંગણમા બનતા નવનિર્મિત શિવમંદિરમા શિવલિંગ પધરાવતા પૂર્વે શિવલિંગ ને શાસ્ત્રોક્ત વિધિથી શિવમહાપુરાણ સપ્તાહ યોજી પધરાવવા ઈચ્છા વ્યક્ત કરતા મૃતક શુભવદને પિતાની ઈચ્છા થી ગત માર્ચ મહિના મા પોલીસ કેમ્પસમા પોલીસ ની પિતા ની ઈચ્છા વ્યક્ત કરી મંજુરી લઈ ભવ્ય શિવકથા નુ આયોજન કરી પિતાના આજ્ઞાકારી પુત્ર તરીકે ફરજ અદા કરી પોતાની ધર્મ પ્રત્યેની રૂચિ અને લાગણી ઉજાગર કરી હતી.