
ટંકારા તાલુકાના વાઘગઢ ગામની સીમમા ખેતરના શેઢા પાસે ગામડાના ખેડુત સાથે બે શખ્સો કોઈ મુદ્દે બાખડી રહ્યા હોવાથી શેઢા પાડોશી તરીકે બાખડતા શખ્સોને બબાલ ન કરવા સમજાવવા જતા વચ્ચે પડેલા ઈસમને વગર કારણે છરી ના ઘા ઝીંકાતા ભોગ બનનારે બે શખ્સો વિરૂધ્ધ ટંકારા પોલીસમા ફરીયાદ નોંધાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી હતી.
ટંકારા તાલુકાના અંતરીયાળ આવેલા મેઘપર ના ખેડુત વનરાજસિંહ મંગળસિંહ ઝાલા ની નજીક ના વાઘગઢ ગામની સીમમા ખેતીની જમીન આવેલી હોય રાબેતા મુજબ પોતાનુ ખેતીકામ કરી રહ્યા હતા. એ વખતે સીમ શેઢા નજીક પોતાના ગામડાના આધેડ રમુભા ઝાલા ની ખેતી ની જમીન આવેલી હોય તેની સાથે બે શખ્સો ઝગડો કરી બબાલ કરી રહ્યા હોવાથી પોતે પાડોશી ધર્મ નિભાવવા બંને પક્ષો ને સમજાવવા અને ઝગડો ન કરવા વચ્ચે પડતા ગામડાના આધેડ ખેડુત સાથે બાખડનારા યોગેશ તુલસીભાઈ કાસુન્દ્રા તથા મનોજ તુલસીભાઈ કાસુન્દ્રા રહે. બંને ઘુનડા (ખા) નામના બંને ભાઈઓએ એક સંપ કરી વચ્ચે પડેલા નિર્દોષ ખેડુત ઉપર હુમલો કરી છુટ થી ઢીકા પાટુ ફટકારી છરી મારી બેફામ વાણીવિલાસ કરી ગાળો ભાંડી જતા જતા ઉપર થી જાન થી મારી નાખવાની ધમકી આપતા વગર કારણે હુમલા નો ભોગ બનેલા ગામડાના ખેડુતે બંને શખ્સો વિરૂધ્ધ ટંકારા પોલીસમા ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી બંને ભાઈઓ સુધી પહોંચવા કવાયત હાથ ધરી હતી.