નર્મદા ની લાઈન માથી પાણી ચોરી કરનારાઓ સામે દંડ સહિત કાર્યવાહી ન થાય તો લડતની ચિમકી.

ટંકારા શહેર છતે પાણીએ કાળઝાળ ઉનાળાના દિવસોમા છેલ્લા ઘણા સમયથી પાણી માટે બોકાસા પાડી પાલીકા એ તડાપીટ બોલાવતા સફાળા જાગેલી નગરપાલિકાએ ભૂતિયા નળ જોડાણ ચેકીંગ હાથ ધરી તાજેતરમા શહેરના લતીપર રોડ પર તાલુકા પંચાયત સામે વિકસેલી ઈન્દ્રપ્રસ્થ -૩ સોસાયટીમા જામનગર જતી નર્મદા ની મુખ્ય પાઈપલાઈન માથી ટંકારા ને પીવાનું પાણી પુરૂ પાડતી લાઈનમા ભંગાણ કરી ગેરકાયદેસર ડાયરેક્ટ જોડાણ લીધુ હોવાનુ ખુલતા નગરમા કાગારોળ મચતા ગત તા.૨૭ ના સ્થાનિક ધારાસભ્ય પાલિકાએ પહોંચી લોકોને ડાયરેક્ટ જોડાણ કાપવાની અને પાણી પહોંચાડવાની ખાતરી આપી હતી. પરંતુ, હજુ સુધી પાણી ચોરી કરતી ઈન્દ્રપ્રસ્થ સોસાયટી નુ જોડાણ કાપવાને બદલે હોબાળો શાંત કરવા શહેરનુ જોડાણ અન્ય લાઈનમા ફીટ કરી મેલી રાજરમત રમાઈ હોવાનુ જણાવી ટંકારાના સ્થાનિક જાગૃત નાગરીકે કુલડીમા ગોળ ભાંગી લેવાયો હોવાનો ખુલ્લો આક્ષેપ કરતા પાણી પ્રશ્ને ભારે ખળભળાટ મચ્યો છે. અને ભૂતિયા જોડાણ કાપી પાણી ચોરી કરનારાઓને પાલિકા આકરા પગલા લઈ દંડ નહીં ફટકારે તો લડતના મંડાણ કરવાની ચિમકી રમેશ રબારી એ ઉચ્ચારી હતી.
ટંકારામા છેલ્લા ઘણા સમયથી પાણી માટે લોકો રીતસર વલખા મારી રહ્યા છે. નગરમા નર્મદા નુ પાણી પુરતી માત્રામાં મળવા છતા પાંચ -છ દિવસે એક વખત માત્ર ૩૦ મિનીટ પાણી અપુરતા ફોર્સ થી પાણી વિતરણ થતા લોકો નગરપાલિકા કચેરી એ કાગારોળ મચાવતા હોવાથી પાલિકા દ્વારા ભૂતિયા જોડાણ સબબ ચેકીંગ હાથ ધરી તાજેતરમા લતીપર રોડ પર તાલુકા પંચાયત સામે વિકસેલી ઈન્દ્રપ્રસ્થ -૩ સોસાયટી દ્વારા નર્મદા ની પાઈપલાઈન મ ભંગાણ કરીને જોડાણ લઈ લીધુ હોવાનુ ભોપાળુ ખુલ્યા બાદ વિવાદ વકર્યો હતો. અને લોકરોષ વધુ ભભુકી ઉઠયો હતો. આ મામલે ગત ૨૭ મી મે એ સ્થાનિક ધારાસભ્ય પાલિકાએ આવી લોકો નો આક્રોશ પારખી ભૂતિયા જોડાણ કાપવાની અને ટંકારા ને પુરતા ફોર્સ થી નિયમિત પાણી આપવાની ખાતરી આપી લોકોના આક્રોશ ને ઠંડો પાડ્યો હતો. પરંતુ, ખાતરી બાદ ટંકારા ને અન્ય લાઈનમા જોડી પાણી વિતરણ વ્યવસ્થા કરાઈ હતી. પરંતુ પાણી ચોરી કરનારાઓ પ્રત્યે આંખ મિચામણા કરાયા હોય એમ ગેરકાયદેસર જોડાણ કાપવા માટે સોસાયટી માથી પસાર થતી પાઈપ લાઈન હજુ સુધી ઉખેડી બહાર રોડ કાંઠે ન લેવાતા ટંકારાના જાગૃત નાગરીક રમેશ રબારી દ્વારા આ મુદ્દે કુલડીમાં ગોળ ભાંગી પાણી ચોરનારાઓને છાવરી રહ્યા નો આક્ષેપ કરી નગરપાલિકા દ્વારા સત્વરે પાણી ચોરતા ઈસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરી જોડાણ નહીં કપાઈ તો લોકોને સાથે રાખીને મામકાવાદ ખુલ્લો પાડવા લડતના મંડાણ કરવાની ચિમકી ઉચ્ચારતા આ મુદ્દે ભારે ખળભળાટ મચ્યો હતો.