
ટંકારા: શહેરના લક્ષ્મીનારાયણ મંદિર પાસે રહેતા સોની પરીવાર ના સદગૃહસ્થ રમણીકલાલ હિરાલાલ માંડલિયા (ઉ.વ. ૭૪) તે દિપકભાઈ, વિમલભાઈ, રાજેશભાઈ, સંજયભાઈ ના પિતા તથા ટંકારાના સોની સ્વ. નાનાલાલ રાજસીભાઈ રાણપુરા ના જમાઈ તા. ૨૬ ને સોમવારે વૈકુંઠ ધામ વિહાર કરી ચુક્યા છે. બંને પક્ષ નુ બેસણુ તા. ૨૯ ને ગુરૂવારે સાંજે ૪:૩૦ થી ૬ દરમિયાન લોહાણા મહાજન વાડી, દેરીનાકા રોડ, કન્યાશાળા પાસે, ટંકારા ખાતે રાખેલ છે. સ્વ.રમણીકલાલ સદગૃહસ્થ અને ધાર્મિક વૃત્તિના માયાળુ સ્વભાવ થી નજીકના પરીચિતોમા ફુઆ થી જાણીતા હતા. મોરબી લાઈવ ટીમ સદગત આત્માને શબ્દ પુષ્પ થકી શ્રધ્ધાંજલિ અર્પણ કરે છે.