
ગત તા. ૨૧ મી એ સાંજે ટંકારા નજીક હાઈવે પર આંગડીયા પેઢીની કાર ને આંતરી લુંટ ચલાવવાના પ્રકરણમાં પકડાયેલા ટંકારાના લખધીરગઢ ગામના કારખાનેદારે રીમાન્ડ દરમિયાન કારખાનુ બનાવવા માટે શેડ ભાડે રાખ્યો હોવાની કબુલાત આપતા પોલીસે શેડ ના માલિક સામે ભાડે આપ્યા ની વિગતો પોલીસ ને આપી ન હોવાથી પોલીસે જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટ થી મોરબી હાઈવે પર ટંંકારા નજીક થયેલી રૂપિયા ૯૦ લાખ ની આંગડીયા લુંટ મા બનાવને દિવસે ગણતરીના કલાકોમા ભાવનગર ના ભરવાડ અભિ લાલા અલગોતર અને અભિજીત ભાવેશ ભાર્ગવ નામના બે શખ્સો ઝડપાયા બાદ તેણે સ્થાનિક શખ્સ સાથે હોવાની આપેલી કબુલાત આધારે રવિવારે લુંટ ને અંજામ આપવા ના ગુન્હા નો ત્રીજો આરોપી ટંકારા તાલુકાના લખધીરગઢ ગામનો કારખાનેદાર દિગ્વિજય અમરસી ઢેઢી પોલીસ પકડમા આવ્યો હતો. જેને પોલીસે ચાર દિવસ ના રીમાન્ડ મેળવી અંકોડા મેળવવા તપાસ હાથ ધરતા દિગ્વિજયે કબુલાત આપી હતી કે, તે ટંકારા નજીક જબલપુર ગામ ના પાટીયા નજીક બાલાજી કોર પ્રોડક્ટ નામની ફેક્ટરી ચલાવે છે. એ ફેક્ટરી નો શેડ તેણે જબલપુર ના અંબારામ પોપટભાઈ બોડા ની માલિકી નો હોય પોતે એ જગ્યા ભાડે રાખી કારખાનુ ચલાવતા હતા. પોલીસે તપાસ કરતા જમીન માલિકે સરકાર ના નિયમ પ્રમાણે ભાડા કરાર પોલીસમા રજુ કરી જાણ કરી ન હોવાનુ સામે આવતા પોલીસે જીલ્લા કલેકટર ના જાહેરનામા ભંગ બદલ માલિક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આમ, લુંટ ને અંજામ આપવા ટીપ આપનારાએ માલિક ને પણ ભાડા કરાર ભંગ ના ગુના મા સલવાડી દેતા મકાન દુકાન માલિકોએ બોધ લેવા જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હજુ લુંટ ના ગુન્હા મા સંડોવાયેલા હિતેષ પાંચા ચાવડા, નિકુલ કાનો અલગોતર, દર્શિલ ભરવાડ,કાનો આહિર સહિતના સુધી પોલીસ પહોંચી શકી નથી.