પાંચેય પિતા પુત્રો મિલાપિપણુ કરી પારકુ મકાન પચાવવા કબજો છોડતા નથી.

મોરબીના બેલા ગામે રહેતા અને વેપાર ધંધો કરતા ઈસમ નુ ટંકારાના જીવાપરા વિસ્તારમા આવેલ મકાનમા ગેરકાયદેસર કબજો કરી ટંકારાના પિતા પુત્રો સહિતના પાંચ ઈસમો એ કબજો જમાવી ખાલી કરતા ન હોવાથી ભોગ બનનારે ટંકારા પોલીસમા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ ની વિગત અનુસાર મોરબી તાલુકાના બેલા(રંગપર) ગામે રહેતા અને વેપાર કરતા અંતિમસિંહ બનેસંગ જાડેજા નુ ટંંકારા ના જીવાપરા વિસ્તારમા બ્રહ્મસમાજ ની બ્રહ્મપુરી પાસે રહેણાંક મકાન આવેલ છે. એ ૩૧૮૨. ૨૭ ચો.મી. ના રહેણાંક મકાનમા હાલ રહેતા ટંકારાના અમીનશા અલીશા સરવદી,આસીફ અલીશા સરવદી, અલ્તાફ અલીશા સરવદી, અબ્દુલ અકબરશા સરવદી તથા અલીશા અકબરશા સરવદી સહિતના પિતા પુત્રો એ મિલાપિપણુ કરી ગેરકાયદેસર રીતે કબજો કરી મકાન પચાવી પાડયુ છે. અને કબ્જો છોડી મકાન સોંપી દેવા અનેક વખત સમજાવવા છતા વાયદાઓ કરી મકાન નો કબજો ખાલી કરતા ન હોવાથી અંતિમસિંહે કંટાળી આખરે ટંંકારા પોલીસમા પાંચેય શખ્સો વિરૂધ્ધ વિધીવત ફરીયાદ નોંધાવતા પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ-૩,૪(૧)(૩),૫(ગ) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, જાણવા મળ્યા પ્રમાણે આ મકાન પચાવી પાડનારાઓનુ હતુ જે ફરીયાદી ને વેંચાણ કર્યુ હોવાનુ અને નાણાકીય વ્યવહારો પુરા થયા પછી પણ કબ્જો છોડતા ન હોવાનુ જાણવા મળ્યુ છે.