કાશ્મીરમા આતંકવાદીઓએ સર્જેલા નરસંહાર ના વિરોધ મા ટંકારા સજ્જડ બંધ, મૌન રેલી યોજાઈ. 

Advertisement
Advertisement
ત્રણ દિવસ પૂર્વે કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા ૨૭ નિર્દોષ પરીવારના પુરૂષ સભ્યો ઉપર ગોળીબાર થી સમગ્ર હિંદુસ્તાનમા આક્રોશ ફેલાયો છે. ત્યારે ટંકારામા નરસંહાર થી રોષ સાથે લોકો વ્યથિત થયા છે. વિશ્ર્વ હિન્દુ પરીષદની અપિલ ને પગલે ટંકારાવાસીઓએ અડધો દિવસ બંધ પાળી મૌન રેલી યોજી મૃતાત્માઓને શ્રધાંજલિ અર્પણ કરી હતી.
ગત ૨૨ મી એપ્રિલે કાશ્મીરમા કુદરત ના ખોળે હરવા ફરવા ગયેલા દેશના ૨૭ પુરૂષ સભ્યોને પહેલગામમા આતંકવાદી ઓ દ્વારા ગોળીઓ ધરબી ઠાર મરાતા સમગ્ર દેશ સ્તબ્ધ થયો છે. દેશમા હિંદુસમાજમા જધન્ય કૃત્યથી ભારે આક્રોશ ભભુકી ઉઠયો છે. ત્યારે ટંકારા ખાતે વિશ્ર્વ હિન્દુ પરીષદ દ્વારા મૌન રેલી યોજી હતી આ તકે ટંકારાના વેપારીઓ સ્વૈચ્છિક ધંધા રોજગાર બંધ રાખી મૃતકોના માનમા યોજાયેલી મૌન રેલી મા જોડાયા હતા. મૌન રેલી મા શહેરના લોકો રોષની લાગણી સાથે જોડાયા હતા.