નપા ને બદલે મેગા ગ્રામ પંચાયત બનાવી વધુ ગ્રાન્ટ ફાળવી વિકાસ સાધવા માંગણી.

ટંકારામા દસ મહિના પૂર્વે ગ્રામ પંચાયત રદ કરી નગરપાલીકા નો દરજ્જો આપી દેવાયો છે. હાલ જુલાઈથી નગર પાલીકા વિધીવત કાર્યરત થઈ ચુકી છે. પરંતુ પાલીકાથી મૂળ ટંકારા નિવાસી પ્રજાજનો મા કચવાટ અને રોષ હજુ યથાવત રહ્યો છે. પાલિકાની જાહેરાત થી વારંવાર વિરોધના સુર ઉઠ્યા છે. રેલીઓ યોજી લોકોએ આક્રોશ ઠાલવ્યા છે. તેમ છતા પાલીકા કાર્યરત થઈ ચુકી છે.ત્યારે ફરી વધુ એક વખત શહેર નુ એક જુથ પાલિકા રદ કરી ફરી ગ્રામ પંચાયત પૂર્વવત કરવાની માંગણી અને સરકાર ના નિર્ણય થી નારાજ થઈ સોમવારે આક્રોશ રેલી યોજી છે.

ટંકારા ને ગત જુલાઈ -૨૪ મા પંચાયત માથી પાલીકા બનાવી દેવાયા બાદ અહીંયા વિધીવત પાલીકા અસ્તિત્વમા આવી ગઈ છે. પરંતુ પાલીકા સામે વિરોધ શમવાનુ નામ લેતો નથી. પાલીકાની જાહેરાતથી અવારનવાર મૂળ ટંકારા નિવાસી નગરજનો નાખુશ છે અને કચવાટ ની લાગણી સાથે રોષ વ્યક્ત કરતા રહ્યા છે. સરકાર તરફથી વિરોધ ને ગણકારવામા ન આવતા અગાઉ શહેરના એક ખૂણેથી રોષ પ્રગટ થયો હતો અને શહેરમા રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ટંકારા ને પાલીકા બનાવવા નજીકના કલ્યાણપર ગામને ભેળવી દેવાયુ હોવાથી ગત ઓગસ્ટમા ગામડેથી સામુહિક પ્રચંડ વિરોધ સાથે રેલી યોજાતા તેના પડઘા રૂપે ગામડાની પાલીકા માથી બાદબાકી કરવી પડી હતી. ત્યારે ફરી વધુ એક વખત ટંકારાના હબીબ ઈસા અબ્રાણીએ સોમવારે પાલીકા રદ કરવા અને ગ્રામ પંચાયત પૂર્વવત કરવાની માંગણી સાથે આક્રોશ રેલી યોજવાની જાહેરાત કરી છે. સરકાર ના નિર્ણય થી નારાજ થઈ યોજાયેલી રેલી પૂર્વે હબીબ ઈસા એ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ત્રીસ વર્ષ પૂર્વે ટંકારા તાલુકો બન્યો છે. પરંતુ સરકારે શહેર માટે કોઈ વખાણવા લાયક વિકાસ કર્યો નથી. અહીંયા વિકાસ ને બદલે રકાસ થયો હોય એમ યુવાધનને રોજગારીની પુરતી તકો મળે એવા રોજગાર નથી. એ મુદ્દે નકર કામગીરી કરવાના બદલે વિકાસ ની લ્હાય મા પાલીકા બનાવાઈ છે. ગ્રામ પંચાયત તરીકે ચાલુ રાખી સૌ પ્રથમ શહેરની સુરત નગરપાલિકા ને શોભે એવી બનાવવી જોઈએ.૩૦ વર્ષ થયા તાલુકા મથકે પાયાની સવલતો હજુ સરકાર આપી શકી નથી. અહીંયા દસ્તાવેજ નોંધણી કચેરી અગાઉ હતી એ હાલ અઠવાડીયા મા એક બે દિવસ જ ખુલે છે. એ મુદ્દે ગંભીર નથી. ઈન્ડસ્ટ્રીયલ ઝોન ન હોવાથ પુરતા ધંધા રોજગાર ન હોવાથી યુવાધન બેરોજગારી મા બરબાદ થઈ રહ્યુ છે. એ વિકસાવવા સરકાર પ્રયાસો કરે એ હિતાવહ છે. અંતમા, રાજકીય રોટલા શેકવા અને વિકાસના ગાણા ગાવા નપા બનાવવા માટે નિયત વસ્તી ન હોવા છતા નગર પાલિકા બનાવી પ્રજાને હથેળી માં ચાંદો બતાવી પાલિકા નો નિર્ણય પ્રજાને મુર્ખ બનાવી ટેક્સ ખંખેરવા નો પ્રિપ્લાન હોવાનો પેંતરો ગણાવ્યો હતો.