મોરબીમાં ગળેફાંસો ખાઈ યુવકે જીંદગી ટુંકાવી

Advertisement
Advertisement

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપરમા રહેતા યુવકે ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર વિસ્તારમાં રહેતા નારણભાઈ લાભુભાઈ વરાણીયા (ઉ.વ.૩૨) નામના યુવકે કોઈ કારણસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.