મોરબીના બગથળા ગામે ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

Advertisement
Advertisement

મોરબી તાલુકાના બગથળા ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા અરવિંદભાઈ ભાણજીભાઈ મકવાણા (ઉ.વ.૧૯) નામના યુવકે કોઈ કારણસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતા યુવકનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.