ટંકારા ખાતે દશનામ સાધુ સમાજ દ્વારા પ્રથમ સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો.જેમા, જ્ઞાતિ સંગઠન મજબુત કરવા અને શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા ઉપર ભાર મુકાયો હતો.
ટંકારા શહેરના પાદરમા જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ સ્વયંભૂ કુબેરનાથ મહાદેવ મંદિર ના પરીસરમા ટંકારા તાલુકા દશનામ સાધુ સમાજ ના પ્રમુખ મુકેશભાઈ ગોસાઈ અને ઉપપ્રમુખ ધર્મેન્દ્રપુરી દ્વારા જ્ઞાતિ નો સૌ પ્રથમ વખત સ્નેહ મિલન સમારોહનુ આયોજન કરી તાલુકાના ૪૨ ગામડાના સાધુ પરીવારોને આગોતરા આમંત્રણ પાઠવી તેડાવ્યા હતા. સમાજના સ્નેહ મિલન સમારોહ મા લગભગ ૬૦૦ થી વધુ જ્ઞાતિજનો એ ઉપસ્થિત રહી સમાજ ઉત્કર્ષ માટે કામ કરતા હોદ્દેદારો ની સરાહના કરી હતી. આ તકે, પ્રમુખ મુકેશ ગોસાઈ એ ઉપસ્થિત જ્ઞાતિજનોને સંગઠીત બની રહેવા અને સમાજના બાળકોને પાયા થી જ શિક્ષણ નો લગાવ રહે એ માટે શાળા સાથે ઘરે રહેતી માતા ઓએ પોતાના બાળકનો વિકાસ ક્ષેત્રે વિકાસ અને લગન વધે એ માટે ઘર આંગણે બાળક માટે મોબાઈલ ત્યજી શિક્ષણ આપવા અનુરોધ કર્યો હતો. જે સમાજ સંગઠીત છે. એની તાકાત આંકવા અને વર્તમાન સમય નુ ચિત્ર જોતા સુરક્ષિત રહેવુ હશે તો સંગઠીત રહેવુ જ પડશે. એટલે ભાતૃત્વ કેળવવા પણ આહવાન કરાયુ હતુ. આ તકે, ટંંકારા મામલતદાર ગોરે ખાસ આમંત્રિત મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યી દિપ પ્રાગટય થકી કાર્યક્રમ વહેતો મુક્યો હતો. સ્નેહ મિલન કાર્યક્રમ પ્રસંગે અખિલ દશનામ ગૌસ્વામી સમાજ ના પ્રમુખ સોમગીરી બાપુ ઉપરાંત, રાજકોટ થી દિનેશગીરી, મોરબી દશનામ સાધુ સમાજ ના હોદ્દેદારો એ ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચન આપ્યુ હતુ. અને ટંકારા ના દ.સાધુ સંગઠન મજબુત બની ઉભરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.