જ્ઞાન સાથે બાળકો મા પાયા થી જ ધાર્મિક મુલ્યોનુ સિંચન થાય એ માટે સરકારે ધોરણ ૬-૭-૮ મા ગીતા અભ્યાસ ઉમેર્યો.

હાલ ઈ યુગ મા પશ્ર્ચિમી સંસ્કૃતિ ના આક્રમણ વચ્ચે ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન શાસ્ત્રોના સંસ્કાર સનાતન ધર્મ થી સમાજ ને વિચલીત થતો બચાવવા અને સંસ્કાર સંસ્કૃતિ અને ધર્મ શાસ્ત્રો નુ રક્ષણ કરવા સરકાર દ્વારા મક્કમ પ્રયાસરૂપે તાજેતરમા શાળા મા ચાલતા અભ્યાસક્રમો મા ભગવદ્ ગીતા પુસ્તક નો ઉમેરો કરતા ટંકારા તાલુકાના નાનકડા હરબટીયાળી ગામે આવેલી પ્રાથમિક શાળાના શિક્ષિકા એ અભ્યાસ ક્રમ મા નવા ઉમેરાયેલા હિંદુ ધર્મ ના મહાન ગ્રંથ પુસ્તક ભગવદ્ ગીતાજી નુ ભૂલકાઓ ના હસ્તે પુજન કરાવી મહાભારત રામાયણ સહિતના શાસ્ત્રો અને ધર્મ સાથે જોડાયેલા પાત્રો ના નામ ને આવરી લઈ ખાસ કક્કો તૈયાર કરી ધર્મ ના મર્મ ની સમજ આપતા કક્કા નુ પઠન કરાવી અભ્યાસ નો પ્રારંભ કરાવાયો હતો.

તાજેતરમા જ ગુજરાત રાજયની પ્રાથમિક શાળાઓ મા સરકાર દ્વારા વર્તમાન સમયમા સમાજ ને સનાતન ધર્મ થી વિચલીત થતો બચાવવા ના પ્રયાસરૂપે બાળકો પાયા થી જ હિંદુ ધર્મ ના મહાન ગ્રંથ અંગે સમજ કેળવતા થાય એવા ઉદ્દેશથી ધોરણ ૬-૭-૮ મા ભગવદ્ ગીતાજી નો અભ્યાસક્રમ ઉમેરાયો છે. સરકાર ના ઉદ્દેશ ને સાર્થક કરવા ટંકારા તાલુકા ના હરબટીયાળી ગામે આવેલી પ્રાથમિક શાળા મા હિંદુ ધર્મ ના મહાન ધાર્મિક ગ્રંથો માના ભગવદ્ ગીતા નુ પુજન બાળકો ના હસ્તે કરાવાયુ હતુ. આ તકે, શાળા ના શિક્ષિકા ગીતાબેન સાંચલા દ્વારા બાળકો પાયા થી જ ધર્મ નો મર્મ સમજે એટલે મહાભારત રામાયણ સહિતના ધાર્મિક શાસ્ત્રોમા ના પાત્રો ને આવરી લેતો કક્કો તૈયાર કરવામાં આવ્યો હતો અને એ કક્કાનુ લય મા ગાન અને પઠન કરાવાયુ હતુ. વર્તમાન શિક્ષણના ફાસ્ટ યુગમા કેળવણી મહત્વની હોવા સાથે ભૂલકાઓ ધર્મ નુ મહત્વ સમજતા થાય અને પ્રાચીન શાસ્ત્રો સંસ્કૃતિ અને ધર્મ નો મર્મ સમજી શકે એ હેતુથી અભ્યાસ સાથે મહાન ધાર્મિક અને પવિત્ર ગ્રંથ ગીતા જી પુસ્તક ના જ્ઞાન સંસ્કાર સાથે ધર્મ ના મુલ્યોનુ પણ ભૂલકોઓમા સિંચન કરાવવા અભ્યાસ સમયે શાળા મા સમુહ પ્રાર્થના અને ગીતા ગાથા નુ ગાન કરાવાયુ હતુ.શિક્ષકોએ સ્તુતિ લય મા ગવડાવી વિધાર્થીઓને ધર્મ નો મર્મ સમજાવ્યો હતો. વર્તમાન સમયે ડીજીટલ યુગમા બાળકો પશ્ર્ચિમી સંસ્કૃતિ ના પ્રવાહ મા ખેંચાઈ અને માત્ર પુસ્તક ના કીડા બની રહેવાના બદલે સામાજીક અને ધર્મ ના સંસ્કારો મા પારંગત થઈ રાષ્ટ્ર ની સંસ્કૃતિ જાળવીને ધાર્મિક મૂલ્યોનુ સિંચન કરવા સરાહનીય પ્રયાસ ને આવકારતા ગીતાબેન સાંચલા એ વર્તમાન સમય ને કેન્દ્ર મા રાખી શિક્ષણ સાથે ધાર્મિક મૂલ્યો નુ જતન કરી જ્ઞાન આપવાના સરકારના સરાહનીય પ્રયાસ ને એક શિક્ષક તરીકે વધાવ્યુ હતુ.