માર્ગ મકાન વિભાગ સરકાર ના વિકાસ કાર્યો ઉપર કાળુ ટીલુ લગાડતા હોવાની ટંકારાના યુવાનની સી.એમ.ને રાવ.
રાજ્ય સરકાર દ્વારા ટંકારા હાઈવે પર ઓવરબ્રિજ બનાવી વિકાસ સાધ્યો છે. હાઈવે નીચે શહેરના બંને તરફ વસતા પ્રજાજનો ને રોજીંદી અવરજવર માટે ચાર પૈડા વાળા વાહન સીધા પસાર થઈ શકે એમ ઓવરબ્રિજ નીચે ગરકનાળુ બનાવી લોકોની માંગણી સંતોષી હતી. જેનાથી આખા તાલુકાના પ્રજાજનો સરકાર ના પ્રજાકીય સુવિધા ના કાર્ય થી ખુશી વ્યક્ત કરી સરકાર ના ગુણગાન ગાતા થયા હતા.પરંતુ
સરકારના આ પ્રજાકીય સુવિધા ના વિકાસ ને હાઈવે ઓથોરીટી વિભાગ કાળી ટીલી લાગે એવુ કૃત્ય આચરી
જે તે વખતે ગરક નાળા નુ તળીયુ સિમેન્ટનુ મઢી ને પેવર રોડ બનાવવા ને બદલે તળીયુ કાચુ રાખી ભ્રષ્ટાચાર આચર્યો હતો. પરંતુ પાપ છાપરે ચડીને પોકારે એમ મુશળધાર વરસાદે તંત્રની પોલ ઉઘાડી પાડી દઈને વરસાદી પાણી થી નાળા નીચે કાદવ કિચડ નુ સામ્રાજ્ય ફેલાયુ હતુ અને ઉપરથી રઝળતા પશુઓનુ આશ્રયસ્થાન બની જતા વાહનચાલકો અને રોજીંદા રાહદારીઓ માટે નર્કાગાર બની જતા સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા બાદ રોગચાળો ફાટી નિકળવાની દહેશત સાથે કાગારોળ કરી સ્થાનિકે ફરીયાદો ઉઠાવતા નકર કામગીરી કરવા ને બદલે પ્રજાજનો ની કાગારોળ ને ન્યાય આપવા ને બદલે પ્રજાજનો ના અવાજ ને કાયમી ડામી દેવા ની નિતી અપનાવી માર્ગ વિભાગ તંત્ર દ્વારા ગરકનાળા નો પેવર રોડ બનાવવા ને બદલે નાળા ની બંને સાઈડ ઈરાદા પુર્વક લોખંડ ના પાઈપ જમીનમા ખોડી દેવામા આવ્યા હતા. પરીણામે વાહનચાલકો તો ઠીક રાહદારીઓ પણ પિસાઈ ને પસાર થાય એવો કારસો ઘડી ને ભવિષ્યમા લોકો અહીં થી ચાલવાનુ ભુલી જાય એવો તખ્તો ઘડી પ્રજાજનો ના અવાજ ને રૂંધવા રીતસર પ્રયાસ કરાયો હોવાનુ ચિત્ર ઉપસ્યુ છે. આ અંગે અનેક સથાનિકોએ રાવ કરી છે. પરંતુ જાડી ચામડીના તંત્ર વાહકો દાદ દેતા ન હોવાથી ટંકારાના લોકો હવે દરરોજ મુખ્યમંત્રી ને સીધી રાવ કરી રહ્યા હોવાનુ જાણવા મળેલ છે. આ મામલે ટંકારાના વેપાર ધંધા સાથે સંકળાયેલા યુવાને વધુ એક વખત તંત્ર ના કારસ્તાન સામે મુખ્યમંત્રી ને ઈમેઈલ મારફતે લેખિત રાવ કરી જવાબદારો સામે તપાસ કરી પગલા લેવા માંગણી કરી છે.
રાજ્ય સરકારના ના વિકાસ ના ફળ ની અનુભૂતિ કરાવતો ટંકારા હાઈવે પર ઓવરબ્રિજ બનાવાયો છે. ઓવરબ્રિજ બનતા હાઈવે ની બંને તરફ નગરજનોની સતત આવાગમન હોવાથી ઓવરબ્રિજ નીચે જે તે વખતે પ્રજાની માંગણીથી એમ.ડી.સોસાયટી સામે ગરકનાળુ બનાવાયુ હતુ.પરંતુ હાઈવે ઓથોરીટી માર્ગ મકાન વિભાગ અને હાઈવે ના કોન્ટ્રાકટરે મલાઈ તારવી લેવા ગરકનાળાનુ તળીયુ પાકુ મઢી પેવર રોડ બનાવવા ને બદલે કાચુ રાખી દીધુ હતુ . જે ભોળી પ્રજા સહન કરી રહી હતી. પરંતુ મુશળધાર વરસાદ પડતા ગરનાળુ કાદવ કિચડ અને ઢોર વાડો બની જતા નર્કાગાર બન્યુ હતુ. પરીણામે કાયમી નાળા નીચે પસાર થનારા હજારો લોકો રોષે ભરાયા હતા. અને કાગારોળ મચાવી સ્થાનિક તંત્ર સમક્ષ રોષ ઠાલવતી ફરીયાદ કરતા સ્થાનિક કક્ષાએથી માર્ગ મકાન વિભાગ ને તાત્કાલિક ગરનાળુ રીપેર કરવા કાન આમળતા નિંભર અને મલાઈ તારવવાની કુટેવ ધરાવતા હાઈવે તંત્રે પ્રજાજનોની વેદના ઉપર મીઠુ ભભરાવવા જેવી કુચેષ્ટા કરી ગરનાળુ પેવર રોડ બનાવી પાકુ કરવાને બદલે બંને સાઈડ લોખંડ ના પાઈપ ખોડી દઈ વાહનચાલકો ની કાયમી અવરજવર બંધ કરવા સાથે રાહદારીઓ પણ મહામુસીબતે પાઈપ વચ્ચે થી ગળકી ને પસાર થાય એવી કુચેષ્ટા જાણીબુઝીને કરી ધીમે ધીમે ગરકનાળા નીચે ચહલપહલ બંધ કરી દેવા કારસો રચ્યો હોવાનુ ચિત્ર ઉપસતા સ્થાનિકે થી ન્યાય ને બદલે માર્ગ બંધ કરવાના કારસા સામે રોષની લાગણી જન્મી હતી અને અનેક લોકોએ ગરકનાળા ને પૂર્વવત કરવા માંગણી ઉઠાવી હતી. પરંતુ પેધી ગયેલ હાઈવે ઓથોરીટી દાદ દેતી ન હોવાથી ટંકારાના વેપાર ધંધા સાથે સંકળાયેલા ભરતભાઈ દુબરીયા એ રાજ્યના મુખ્યમંત્રી ને ઈમેઈલ માધ્યમથી ફરીયાદ નોંધાવી રાજ્ય સરકાર પ્રજાજનો ની સુખ સુવિધા સગવડો મા વધારો કરી પ્રજાને વિકાસ ના ફળો પિરસી લોક માનસમા સરકારની છબી ઉજાળી ઉજાસ પાથરે છે. પરંતુ હાઈવે વિભાગ સરકાર ના વિકાસકાર્યો પર કાળુ ટીલુ લગાડી જનતા સામે સરકાર ને અળખામણા બનાવવા જેવા કૃત્યો કરે છે. જેનો ચિતાર રજુ કર્યો હતો. દુબરીયા એ ઈમેઈલ મા
તંત્રની મેલી રાજરમત જણાવી પ્રજાના અવાજ ને દાબી દેવા ગરકનાળુ મા લોખંડી ખિલા સમાન પાઈપ ખોડી દઈ ફરીયાદ કરનારા પ્રત્યે રોષ ઠાલવ્યો હોય એવુ કૃત્ય આચર્યુ હોવાનુ જણાવી ગરકનાળા સામે એસટી બસ સ્ટેન્ડ હોય મુસાફરો ને નગરમા જવા હાઈવે ની પ્રદક્ષિણા ના ફેરા ફરવા જેવો ઘાટ ઘડયો હોય હાઈવે તંત્ર સામે તાત્કાલિક પગલા લેવા માંગણી ઉઠાવી હતી.