મોરબી એડી. પ્રિન્સી. ડીસ્ટ્રી. એન્ડ સેસન્સ કોર્ટ માંથી મોરબીના રફાળેશ્વર ગામમાં થયેલ ચકચારી ખુની હુમલો કરવાના અને એટ્રોસીટીના ગુન્હાના મુખ્ય આરોપીઓ (૧) રાજેશ ઉર્ફે સંજયભા ભુપતભા ગઢડા(ગઢવી) (૨) મયુરભા ઉર્ફે બાબભા ભુપતભા ગઢડા(ગઢવી) (૩) ભાવેશ ઉર્ફે કાલી કીશોરભાઈ સુમેસરા (૪) અજય જગદીશભાલઈ ચૌહાણ (૫) દેવરાજ સીંધાભાઈ ધાધરના ઓના શરતી જામીન મંજુર.
મોરબી તાલુકા પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીના દીકરા સાહેદ પારસ ઉર્ફે સુલતાનની ક્રેટા કાર અગાઉ ઝગડો થતાં નુકશાન થયેલ હોય જે કારને વીમામાં રીપેરીંગ કરવા માટે આરોપી નં. ૧ ના બનેવી સાણંદભાઈને આપેલ હોય જે કાર રીપેર થઈ જતાં વીમા કંપની તરફથી રૂપીયા ઓછા મળતાં તે બાબત સાણંદભાઈ સાથે વાતચીત કરતા તેનો ખાર રાખી આરોપી નં. ૧ ફરીયાદી ના ઘર પાસે પોતાની લાઈ કલરની ગાડીમાં પિસ્તોલ જેવા હથીયાર લઈ આવી અને તેની પાછળ કાળા કલરની બોલેરો ગાડીમાં લાકડાના ધોકા,છરી, ધારીયા, લોખંડના પાઈપ જેવા હથીયાર લઈ આરોપી નં. ૨ થી ૬ નાઓ આવી તથા બીજી એક લાલ કલરની ગાડીમાં છરી લઈ આવી આરોપી નં. ૭ તથા બીજા અન્ય અજાણ્યા માણસો જીવલેણ હથીયારો ધારણ કરી એક સંપ કરી ફરીયાદી ના ધર પાસે આવી આરોપી નં. ૨ ના એ ફરીયાદીને છેડતી કરી જમણા પગના ઢીંચણ પાસે છરી મારી તથા ડાબા હાથના બાવળે સામાન્ય ઈજા કરી સાહુદ મનહરભાઈને આરોપી નં.૭નાએ વાસાના ભાગે તથા ડાબા હાથના બાવળે છરી મારી ઈજા કરી તથા ફરીયાદીના પતી ગીરધરભાઈને આરોપી નં.૧ નાએ રીવોલ્વર જેવુ હથીયાર બતાવી જાતી પ્રત્યે અપમાનીત કરી જાનથી મારી ાનખવાની ધમકી આપી જાનથી મારી નાખવાના ઈરાદે ગાડી માથે ચડાવાનો પ્રયાસ કરતા ફરીયાદીના દીકરી બચાવા વચ્ચે પડતાં તેને માથામાં મુંઢ ઈજા થયેલ અને આરોપીઓએ ફરીયાદીના એકટીવાને નુકશાન કરી એકબીજાને મદદગારી કર્યા બાબતનો ગુનો રજીસ્ટર કરી આ કામના ફરીયાદના આધારે મોરબી તાલુકા પોલીસે બી.એન.એસ.એકટ ની કલમ-૧૦૯,૧૮૯(૨), ૧૯૦, ૧૯૧(૧), ૧૧૫(૧), ૧૧૮(૧),૭૪,૩૫૨, ૩૩૩,૩૫૧(૧)(૨), ૩૨૪(૪) તથા એટ્રોસીટી એકટની કલમ-૩(૧)(આર) (એસ), ૩(૨) (૫-એ) તથા જી.પી એકટની કલમ-૧૩૫ વીગેરે મુજબ. કલમ- ૩૦૬,૪૯૮ (એ), ૧૧૪ મુજબનો ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરેલ હતી.
આરોપીઓ (૧) રાજેશ ઉર્ફે સંજયભા ભુપતભા ગુઢડા(ગઢવી) (૨) મયુરભા ઉર્ફે બાબભા ભુપતભા ગુઢ ડા(ગઢવી) (૩) ભાવેશ ઉર્ફે કાલી કીશોરભાઈ સુમેસરા (૪) અજય જગદીશભાલઈ ચૌહાણ (૫) દેવરાજ સીંધાભાઈ ધાધર એ મોરબીના પ્રખ્યાત સીનીયર ધારાશાસ્ત્રીશ્રી દીલીપભાઈ અગેચાણીયા મારફત નામદાર સેસન્સ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ. આરોપીઓ તરફે આરોપી પક્ષના એડવોકેટે દલીલ કરેલ કે આ કામના અન્ય આરોપીઓને ખોટી રીતે બનાવ માં ફીટ કરી દીધેલ હોય અને આ કામના ફરીયાદી પણ ગુનાહીત ઈતીહાસ ધરાવે છે અને આવી ખોટી હકીકતો બનાવી ને ખોટી ફરીયાદ કરવા ટેવાયેલા છે અને ધારદાર કાયદાકીય દલીલ કરેલ અને નામ. ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટ ના વીવીધ ચુકાદાઓ રજુ રાખેલ . બન્ને પક્ષકારોની દલીલના અંતે નામ. કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી આરોપીને શરતી જામીન પર મુકત કરતો હુકમ કરેલ. આ કામમાં આરોપી તરફે મોરબી જીલ્લાના પ્રખ્યાત સીનીયર ધારાશાસ્ત્રીશ્રી દિલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, જે.ડી.સોલંકી, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા, હીતેશ પરમાર,આરતી પંચાસરા, ક્રિષ્ના જારીયા રોકાયેલા હતા.