મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રી. એન્ડ સેસન્સ કોર્ટ માંથી મોરબીના ચકચારી ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરવા મજબર કરવાના ગુન્હાના આરોપીઓ નરેન્દ્રભાઈ લાલજીભાઈ ભોજાણી તથા અમૃતલાલ ઉર્ફે ભીખાભાઈ લાલજીભાઈ ભોજાણીનાઓના શરતી જામીન મંજુર.
મોરબી એ ડીવી. પોલીસમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપીઓએ ફરીયાદીના પતી ને અલગ અલગ સમયે વ્યાજે રૂપીયા આપી વ્યાજની ઉધરાણી કરી માનસીક ત્રાસ આપી મરવા મજબુર કરતા ફરીયાદીના પતીએ પોતાના ધરે આરોપીઓના માનસીક ત્રાસને કારણે ઝેરી દવા પી લઈ મરણ જતાં બધા આરોપીઓએ સદરહુ ગુનાહીત કૃત્ય કરવામાં એકસંપ કરી એકબીજાને મદદગારી કરતા તે મતલબની કાયદેસર તપાસ થવા અંગેની ફરીયાદ આપેલ.આ કામના ફરીયાદના આધારે મોરબી એ ડીવી. પોલીસે બી.એન.એસ. ની કલમ- ૧૦૮ તથા ગુજરાત નાણાં ધીરધાર કરનારા બાબત અધિ.-૨૦૧૧ની કલમ-૪૦, ૪૨ મુજબનો ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરેલ હતી.
જેમાં આ કામના આરોપીઓ નરેન્દ્રભાઈ લાલજીભાઈ ભોજાણી તથા અમૃતલાલ ઉર્ફે ભીખાભાઈ લાલજીભાઈ ભોજાણીનાઓએ જામીન મેળવવા માટે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ શ્રી દીલીપ આર. અગેચાણીયા મારફત નામ. કોર્ટ માં જામીન અરજી કરેલ હતી..આ કામેના અરજદાર/ આરોપીએ કહેવાતો કોઈ ગુન્હો કરેલ નથી કે કહેવાતા ગુન્હામાં કોઈ સક્રીય ભાગ ભજવેલ નથી તેમ છતાં અમોને ખોટી રીતે ગુન્હામાં સંડોવી દીધેલ છે. આ કામના સહ આરોપીઓ જામીન ઉપર મુક્ત થઈ ગયેલ હોય જેથી અમોનો રોલ પણ સમાન પ્રકારનો હોય જેથી રોલ ધ્યાને લેતાં પેરીટીના ગ્રાઉન્ડ હેઠળ જામીન ઉપર મુકત કરવામાં આવે અને વધુમાં નામ. સુપ્રીમ કોર્ટે અને ગુજરાત હાઈકોર્ટ આપેલ જે ચુકાદા પર પણ આધાર રાખી આરોપીને જામીન ઉપર છોડી મુકવા જોઈએ તેવી ધારદાર દલીલ કરેલી. ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ શ્રી દીલીપ આર. અગેચાણીયાની તમામ દલીલો માની નામદાર કોર્ટે આરોપીઓની જામીન અરજી મંજુર કરેલ. આરોપીઓ તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ શ્રી દીલીપ આર. અગેચાણીયા, યુવાન એડવોકેટ શ્રી જીતેન ડી.અગેચાણીયા, જે. ડી. સોલંકી, હીતેશ પરમાર, રવી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા, ક્રિષ્ના જારીયા, આરતી પંચાસરા રોકાયેલ હતા.