
ટંકારાના ગજડી ગામે ખેતમજુર પરપ્રાંતિય શ્રમિકે ઝેરી દવા ગટગટાવી લેતા તેનુ મોત નિપજ્યુ હતુ. જોકે, દવા ગટગટાવી જીંદગી નો અંત આણી લેવા અંગે કારણ અકબંધ રહ્યુ હતુ. પોલીસે તપાસ હાથ ધરી છે.
ટંકારા તાલુકાના ગજડી ગામના ભીખાભાઈ ડાંગર નામના ખેડુત ને ત્યા પરપ્રાંતિય શ્રમિક રમેશ બાલસીંઘ બાડોડીયા નામનો આશાસ્પદ ખેતમજુર વતનથી જોજનો દુર પેટીયુ રળવા ગામડે આવી ને વસ્યો હતો.ગામડાના ખેડુતે પોતાના શ્રમિક પરીવાર ને જયા ખેતમજુરી કામ કરે છે. ત્યા ખેતરમા જ આશ્રય સ્થાન બનાવી આપ્યુ હોવાથી સીમમા જ પરપ્રાંતિય પરીવાર વસવાટ કરતો હતો. રાબેતા મુજબ પરીવાર ખેતીકામ મા મશગુલ હતો એ વખતે ૩૦ વર્ષિય ખેતમજુર રમેશભાઈ નામના શ્રમિક યુવાને કોઈ અકળ કારણોસર ઝેરી દવા ગટગટાવી મોત ની સોડ તાણી લીધી હતી. પરપ્રાંતિય મજુરે વગડામા ઝેરી દવા ગટગટાવી લેતા તાબડતોબ હોસ્પિટલ ખસેડ્યો હતો. પરંતુ સારવાર મળે એ પૂર્વે જ મોત નિપજ્યુ હતુ. ઝેરી દવા પી જીંદગી નો અંત આણી લેનાર આશાસ્પદ યુવાને શા માટે મોત ની વાટ પકડી લીધી તે કારણ હાલ અકબંધ રહ્યુ હોય પોલીસે તપાસ હાથ ધરી કારણ જાણવા પ્રયાસ હાથ ધર્યા હતા.