ટંકારા શહેરી વિસ્તારમા ગણપતિ બાપ્પા ની મૂર્તિના વિસર્જન માટે નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરાઈ.

Advertisement
Advertisement
વિસર્જન માટે આયોજકોએ નગરપાલિકા ને લેખિત જાણ કરવાની રહેશે.. જાહેરનામા ના ભંગ કરનાર સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે.
ટંકારા શહેરી વિસ્તારમા જ્યા ગણેશ ભગવાનના પંડાલ તેમજ સ્થાપના કરવામા આવી હોય તેના વિર્સજન માટે નગરપાલિકા દ્વારા નિયત કરેલા સ્થળ ઉપર જ વિસર્જન કરવા માટે આયોજન કરવામા આવ્યુ છે. આ માટે વિસર્જન અંગે ની જાણકારી નગરપાલિકાને લેખિત અરજી કરવાની રહેશે.
ટંકારા શહેરી વિસ્તારમા જયા પણ ગણપતિ બાપ્પા ના પંડાલ સ્થપાયા હોય અથવા સ્થાપના કરી હોય એવા આયોજકો માટે બાપ્પા ના વિસર્જન માટે નગરપાલિકા દ્વારા જળ મા પધરાવવા માટે સ્થળ મોટા શિતળા માતાની ધાર, કોઠારીયા રોડ પર નક્કી કરવામા આવ્યુ છે.આ સ્થળે શહેર ના તમામ ગણેશજીની પ્રતિમાનુ વિર્સજન કરવાનુ રહેશે. આ અંગે,દરેક પંડાલ/આયોજકોએ વિર્સજન અંગેની જાણકારી નગરપાલિકાને લેખિતમાં કરવાની રહેશે. વિર્સજનના દિવસે પૂજા અર્ચના કરી મૂર્તિ નગરપાલિકા કચેરી ખાતે રાખવાની રહેશે.ત્યાંથી નગરપાલિકાના વાહનમા વિર્સજન માટે લઈ જવામાં આવશે.જેમા ચાર જ વ્યકિતઓને વિર્સજન માટે લઈ જવામા આવશે.જેની સમગ્ર વિગતો અરજી સાથે  આપવા ની રહેશે.આ જાહેરનામા ના ભંગ કરવા બદલ પોલીસ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેવા નગરપાલિકા મુખ્ય અધિકારી ગીરીશ સરૈયા એ એક યાદીમા જણાવ્યુ હતુ.