વાંકાનેરમાં ફરજ બજાવતા શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થતાં દશનામ ગોસ્વામી સમાજ દ્વારા સન્માનિત કરાયા
વાંકાનેર : શિક્ષકએ સંસ્કાર , સન્માનનીય અને સમાજના માર્ગદર્શક તરીકેની ભૂમિકા ભજવે છે. શિક્ષકમાં નિયમિતતા અને અન્યને પ્રેરણા મળે તેવી પ્રવૃતિઓ માટેની એક ઓળખ હોય છે ત્યારે વાંકાનેરના આવા જ એક શિક્ષક જીતેન્દ્રગિરિ ગોસ્વામીને રાજ્ય સરકાર દ્વારા મોરબી જીલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે. જેમ જિલ્લા કક્ષાએ સન્માન કરવામાં આવ્યું છે તે બદલ શ્રી દશનામ ગોસ્વામી સમાજ ગર્વ અનુભવે છે અને શ્રી દશનામ ગોસ્વામી યુવા ગ્રુપ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક જીતેન્દ્રગિરિ ગોસ્વામીનું સન્માન કરી શુભકામનાઓ પાઠવી હતી.