Advertisement
Advertisement

શ્રી શૈલેષભાઈ ઠક્કર
( પ્રદેશ ભાજપ અગ્રણી ગુજરાત રાજ્ય )
વાંકાનેર ભાજપ અગ્રણીના જન્મદિવસે બટુક ભોજન, સંત સન્માન , વૃક્ષા રોપણ , સમાજના શ્રેષ્ઠીઓનું સન્માન તથા ભસ્મ આરતીના સહિત પંચવિધ કાર્યક્રમો યોજી જન્મ દિવસને યાદગાર બનાવી સમાજને પ્રેરણા પૂરી પાડશે
વાંકાનેર : સામાન્ય રીતે લોકો જન્મ દિવસની ઉજવણીમાં હોટેલમાં પાર્ટીઓ ગોઠવે ફિલ્મ જોવાનું આયોજન કરે અથવા તો લોંગ ડ્રાઈવ પર ફરવા જવાના આયોજનો કરી હજારો રૂપિયાના ધુમાડા કરતા હોય છે ત્યારે વાંકાનેરને કર્મભૂમિ બનાવી સામાજિક અને રાજકીય ક્ષેત્રે કાઠું કાઢનાર અને શહેર તથા તાલુકાના કોઈ પણ સ્થળે ધાર્મિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેતા પર્યાવરણ પ્રેમી પ્રદેશ ભાજપના અગ્રણી શૈલેષભાઈ ઠક્કરનો આગામી તા ૭ ના રોજ જન્મ દિવસ હોય ત્યારે શહેરના શ્રી ગઢિયા હનુમાન મિત્ર મંડળ દ્વારા સમાજને પ્રેરણા મળે તેવા પંચ વિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.
તા. ૭ ને ગણેશ ચતુર્થીના દિવસે ભાટિયા સોસાયટી ખાતે બિરાજમાન શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારે કાર્યક્રમની શરુઆત સંતો મહંતો દ્વારા દીપ પ્રગટાવી કરાશે. બાદમાં સંતો મહંતોનું સન્માન કરવામાં આવશે સાથે જ શહેર તથા તાલુકાના સમાજના શ્રેષ્ઠીઓનું સન્માન કરાશે. સંતો મહંતો તથા સમાજના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં વૃક્ષા રોપણ કરાશે જેની માવજત કરી ઉછેરવા સુધીની જવાબદારી નિભાવશે. સાંજના ચાર વાગ્યે જરૂરિયાતમંદ વિસ્તારના બાળકોને બટુક ભોજન કરાવી તેમની સાથે સમય પસાર કરશે. અંતમાં શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે સાંજે ૭.૩૦ વાગ્યે સંધ્યા આરતી સમયે જેમ ઉજ્જૈન મહાકાલ મંદિરમાં નિત્ય ભસ્મ આરતી ઉતારવામાં આવે છે તે જ પ્રમાણે ગંગેશ્વર મહાદેવને મહાકાલનો શૃંગાર કરવામાં આવશે અને ભસ્મ આરતી ઉતારવામાં આવશે.
સામાન્ય સંજોગોમાં રાજકીય અગ્રણીઓ જન્મ દિવસની ઉજવણી કાર્યકરો વચ્ચે કે નેતાઓની હાજરીમાં ઉજવતા હોય છે પરંતુ શૈલેષભાઈ ઠક્કર હંમેશા ધાર્મિક કાર્યક્રમો યોજતા હોય છે સાથે જ વાંકાનેર તાલુકાના દરેક ધાર્મિક કાર્યક્રમોમાં આમંત્રણ મળે એટલે અવશ્ય હાજરી આપવા આવે છે. વાંકાનેરમાં રાજકીય હોવા સાથે સામાજિક , શૈક્ષણિક અને ખાસ કરીને પર્યાવરણના જતન માટે હર હંમેશ અગ્રેસર રહે છે. વાંકાનેર ભાજપમાં સારી રાજકીય પક્કડ જમાવી છે. તાલુકાના પ્રજાજનોના અટકેલા કાર્યો કરવા તેનો શોખ છે અને હંમેશા નાના માણસો વચ્ચે રહેવાનું વધુ પસંદ કરે છે.
શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર સમિતિ દ્વારા ભાજપ અગ્રણીના જન્મ દિવસ નિમિતે ખાસ ભસ્મ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. ભસ્મ આરતી માટે છોટી કાશી હળવદથી ખાસ ભૂદેવને બોલાવાયા છે જે મહાકાલની ભસ્મ આરતી ઉતારી શૈલેષભાઇ ને જન્મ દિવસે આશીર્વાદ આપશે.