
ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા કલેકટર દ્વારા જીલ્લા નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર મંડળમા સલાહકાર સમિતિમા સભ્ય તરીકે જીલ્લા ના ચાર સામાજીક કાર્યકરો ની નિમણુંક કરવામા આવી હતી. જેમા, બિન સરકારી સભ્ય તરીકે ટંકારા તાલુકાના જબલપુર ગામ ના વતની જીલ્લા બક્ષીપંચ મોરચાના પૂર્વ મહામંત્રી બિપીન પ્રજાપતિ ની નિમણુંક કરવામા આવતા જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી જેઠાલાલ મિયાત્રા, નરેન્દ્રસિંહ ઝાલા,ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુર્લભજી દેથરીયા સહિતના એ અભિનંદન પાઠવ્યા હતા.