મોરબી ના હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારના ચકચારી અપહરણ બળાત્કાર અને પોક્સો ના ગુનાના આરોપીના જામીન મંજુર કરાવતા મોરબી ના વકીલ દેવ કે. જોષી

Advertisement
Advertisement

મોરબી ના હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારના ચકચારી અપહરણ બળાત્કાર અને પોક્સો ના ગુનાના આરોપીના જામીન મંજુર કરાવતા મોરબી ના વકીલ દેવ કે. જોષી

મોરબી સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા હળવદ તાલુકા ના અપહરણ બળાત્કાર તથા પોકસોના ગુનાના કામના આરોપી ને જામીન ઉપર મુકત કરવાનો હુકમ કર્યો.

હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ કે ફરીયાદીની સગીર વયની દીકરીને કાયદેસરના વાલીપણામાંથી ભગાડી અપહરણ કરી દુષ્કર્મનો ગુનો કર્યા અંગેના ગુન્હાની ફરીયાદના આધારે હળવદ તાલુકા પોલીસે ભારતીય દંડ સંહિતાની તથા પોકસો એકટની કલમ મુજબ આરોપી ની ધરપકડ કરેલ હતી.

જેમાં આરોપી વતી મોરબીના યુવા એડવોકેટ દેવ કે. જોષી મારફત મોરબી કોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ હતી.

જેમાં બન્ને પક્ષકારોની દલીલના અંતે નામદાર કોર્ટે બચાવ પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી આરોપી ને શરતી જામીન પર મુકત કરતો હુકમ કરેલ. જેમાં આરોપી તરફે મોરબી ના વિદ્વાન વકીલ શ્રી દેવ કે. જોષી રોકાયા હતા. તેમની ધારદાર દલીલો સાંભળી આરોપી ના જામીન મંજુર કરવામાં આવ્યા હતા.

જેમાં વિદ્વાન વકીલ શ્રી દેવ કે. જોષી દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી તથા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ના જજમેન્ટો રજૂ કરતા જે ધ્યાને લઇ મોરબી ની પોક્સો કોર્ટ દ્વારા આરોપીના શરતી જામીન મંજુર કરવામાં આવેલ છે.

આરોપી તરફે મોરબીના યુવા વકીલ શ્રી દેવીપ્રસાદ.(દેવ) કે. જોષી તથા વરિષ્ઠ ધારાશાસ્ત્રી એફ.જે.ઓઝા રોકાયા હતા.