મોરબી જીલ્લાના રામકૃષ્ણ નગરમાં વૃધ્ધને સળગાવીને મારી નાખવાના ખુનના કેસનાં બંને આરોપી ના જામીન નામંજુર કરતી મો૨બી એડીશનલ ડીસ્ટ્રકટ કોર્ટ

Advertisement
Advertisement

મોરબી સીટી બી ડિવી. પોલીસે ફરીયાદીશ્રીની એવી ફરીયાદ પરથી કે આ કામના આરોપીઓએ ફરીયાદીના દીકરાની સાથે મોબાઈલફોનમાં કોઈ બાબતે ઝધડો થયેલ અને તેનુ મનદુખ રાખી ગેરકાયદેસર મંડળી રચી ફરીયાદીના ધરની ધરની બહા૨ ૨ાખેલ ચંપલની લા૨ીને આગ લગાડી ફરીયાદીના પતિને ઢસડી માર મારી બહાર શેરીમાં સળગતી લારી પાસે ધકકો મારી દઈને ખુન કરેલ હોય મારેબી બી ડિવી. પોલીસે આરોપીઓ વીરુધ્ધ આઈ.પી.સી.કલમ ૩૦૨,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૪૫૨,૪૩૫,૧૧૪ અન્વયે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવેલ. આરોપી સંદીપભાઈ રાજેશભાઈ બોડા તથા વીમલભાઈ નથુભાઈ કામલીયાએ જામીન મેળવવા નામદાર કોર્ટમાં અરજી કરેલ. ફ૨ીયાદી ત૨ફે મોરબી જીલ્લાના સરકારી વકીલ

સંજયભાઈ દવે તથા પ્રખ્યાત ધારાશાસ્ત્રી શ્રી દીલીપ આર. અગેચાણીયા રોકાયેલ. આરોપીઓ તરફે દલીલ ક૨વામાં આવેલી કે આરોપી તદન નીર્દોષ છે. આરોપી કુટુંબ કબીલા વાળા માણસો છે. ખોટી રીતે ગંભીર પ્રકારના ગુનામાં સંડોવી દીધેલ છે. આ બનાવમાં આરોપીએ સીધી કે આડકતરી રીતે કોઈ ભાગ ભજવેલ નથી. આરોપીઓને પ્રી ટ્રાયલ પનીશમેન્ટ થાય તેમ છે. ફરીયાદ પક્ષે સદરહુ આરોપીઓના જામીન ન મળે તેમાટે નામદાર કોર્ટમાં જામીન અરજીસામે વાંધા જવાબ રજુકરેલ અને એવી દલીલ કરવામાં આવેલ કે બંને આરોપીઓની બનાવ સમયે સ્થળ ઉપર હાજરી હતી અને ફરીયાદીના પતિને ઢસળીને સળગતી લારી પાસે ધકકો દીધેલ હોય તેમજ આરોપીનો બનાવમાં ડાયરેકટ રોલ જણાય આવે છે. બન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ ફરીયાદ પક્ષના મોરબી જીલ્લાના સરકારી વકીલ સંજયભાઈ દવે તથા એડવોકેટ દીલીપ આર અગેચાણીયાની દલીલ માન્ય રાખી બંને આરોપીઓની જામીનઅ૨જી નામંજુ૨ ક૨વાનો હુકમ કરેલ.