માળીયા વનાળીયા સોસાયટીમાં ગળેફાંસો ખાઈ લેતા આધેડનું મોત

Advertisement
Advertisement

મોરબીના માળિયા વનાળીયા સોસાયટીમાં 49 વર્ષીય આધેડે અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું. ત્યારે આ બાબતે અકસ્માતે મૃત્યુનોંધ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીની માળીયા વનાળિયા સોસાયટીમાં રહેતા મોહનભાઇ રવજીભાઈ સોલંકી ઉ.49 નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.