સેશન્સ કોર્ટે વાહન મુક્ત કરવા હુકમ કર્યો હોવા છતા પોલીસે વાહન છોડવા થોડીકવાર ઉંહકારા કર્યા બાદ છોડયુ.

એડવોકેટ અતુલ ત્રિવેદી
(મોં.નં. 87804 32173)
ટંકારા પોલીસ મથકમા પશુઓની ગેરકાયદેસર હેરાફેરી સબબ ગુનો નોંધાયો હતો. જેમા, પોલીસે જપ્ત કરેલ વાહન ના અમદાવાદ ના માલિકે ટંકારાના વકીલ મારફત મોરબી સેસન્સ કોર્ટ સમક્ષ પોલીસે સીઝ કરેલ વાહન મુક્ત કરવા રીવીઝન અરજી રજુ કરવામા આવતા અદાલતે બચાવ પક્ષના વકીલની દલીલો માન્ય રાખી સીઝ થયેલ બોલેરો જીપ ને મુક્ત કરવા હુકમ કર્યો હતો.
ટંકારા પોલીસે ઓક્ટોબર ૨૦૨૩ મા પશુઓની હેરાફેરી સબબ ગુનો નોંધી પશુઓની હેરાફેરી કરતા ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી વાહન જપ્ત કર્યુ હતુ. જે ગુનામા પશુઓની હેરાફેરી કરતા શખ્સો નો અગાઉ જામીન ઉપર છુટકારો થયો હતો. પરંતુ અમદાવાદ ના વાહન માલિક ની બોલેરો જીપ નં. જીજે ૧૮ બીવી ૧૮૬૮ ને પોલીસે સીઝ કર્યુ હોવાથી પોલીસ થાણે પડયુ હતુ. દરમિયાન વાહન માલિક રબારી બળદેવ કરમસી એ પોતાની આજીવિકા નુ સાધન બોલેરો વાહન પોલીસ જાપ્તામાંથી મુક્ત કરવા ટંકારા કોર્ટ મા કલમ ૪૫૧ હેઠળ મુદ્દામાલ છોડવા અરજી કરતા કોર્ટે અરજી નામંજુર કરી હતી. બાદ મા અમદાવાદ રહેતા વાહન માલિકે ટંકારા ના એડવોકેટ અતુલભાઈ ત્રિવેદી મારફત સેસન્સ કોર્ટમા એનિમલ એકટ હેઠળ ટંકારા પોલીસમા સીઝ થયેલા વાહનને મુક્ત કરવા રીવીઝન અરજી રજુ કરતા અદાલતે આરોપી તરફેના વકીલ અતુલ ત્રિવેદીની વાહન માલિક પશુ હેરાફેરી મા દોષિત ન હોય અને પોતાના અસીલે વાહન ભાડે આપ્યુ હોય ભાડે લઈ જનાર ઈસમે વાહન તેની જાણ બહાર વાપર્યુ હોય પોતે આ પ્રવૃત્તિ થી અજાણ હોય તેમજ પોતાનુ વાહન પોલીસ થાણામા બિન ઉપયોગી હાલતમા પડી રહેવાથી કંડમ હાલતમા ભંગાર બની જવાની હાલતે હોય આમ, થવાથી વાહન માલિક ની રોજગારી ઉપર અસર થવાથી અરજદાર બેરોજગાર બની શકે એમ છે. અને વાહનના હપ્તા ન ભરી શકવાથી ઉલ્ટા ના દેવા ના ખપ્પર મા હોમાઈ જવાની બચાવ પક્ષની ધારદાર દલીલોને કોર્ટે સ્વિકારી બીજા એડીશનલ જજ કમલભાઈ પંડ્યા એ પોલીસ જાપ્તા મા રહેલા વાહનને મુક્ત કરવા નો હુકમ કર્યો હતો. જોકે, કોર્ટ ના આદેશ હોવા છતા આદત મુજબ પોલીસે વાહન માલિક ને પરેશાન કરી પોતાની વરવી ભૂમિકા ભજવી હોવાની વાહન માલિકે પોલીસની ટીકા કરી હતી.