મોરબીના વાંકાનેર મોરબી હાઇવે પર વઘાસિયા ટોલનાકામા સુપરવાઈઝરને બે જેટલા આરોપીઓએ જાન થી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે આ મામલે હાલ પોલીસ મથક ખાતે આ બાબતે ફરિયાદ નોંધાઈ છે.
ત્યારે આ અંગે મળતી મળતી માહિતી મુજબ વાંકાનેર – મોરબી હાઇવે ઉપર વઘાસિયા ટોલનાકામા સુપરવાઈઝર તરીકે નોકરી કરતા દેવેન્દ્રસિંહ જયુભા ઝાલા ઉ.37 રહે.વઘાસિયા વાળાએ આરોપી રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને પ્રતિકસિંહ ઉર્ફે પિન્ટુભા જનકસિંહ ઝાલા રહે.બન્ને વઘાસિયા ગામ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે બન્ને આરોપીઓ વઘાસિયા ટોલનાકે પોતાની નંબર વગરની અલ્ટો કાર લઈને આવ્યા હતા અને કહ્યું હતું કે, તે કેમ અમારું વાઈટ હાઉસ વાળું ટોલનાકુ બંધ કરાવ્યું ? હવે હું કહું એ વાહનો અહીંથી ટોલ ભર્યા વગર પસાર કરવા દેજે નહિ તો મારી પાસે કાયમ આ રિવોલ્વર ભેગી જ હોય છે ગમે ત્યાં ભડાકે દઈ દઇશ અથવા ગાડીમાં ચગદી નાખીશ તેવી ધમકી આપી ફડાકા મારી ઢીકા પાટુનો માર મારી છરી મારવા પ્રયાસ કર્યો હતો.અગાઉ વઘાસિયા ટોલનાકાની સમાંતર વાઈટ હાઉસ નામની બંધ પડેલી સિરામિક ફેકટરી ભાડે રાખી વઘાસિયા ગામના જ શખ્સો દ્વારા ગેરકાયદે ટોલનાકુ બનાવવામાં આવતા આ મામલે ઉચ્ચકક્ષાએથી તપાસના આદેશ છૂટ્યા બાદ ટોલનાકુ બંધ કરવામાં આવ્યું હતું.