મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં આવેલ વાડી ની ઓરડીમાં રહેતા મૂળ ભરૂચ જિલ્લાના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારે આ બાબતે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં આવેલ પ્રવીણભાઈ ત્રિભોવનભાઈ વાઘડિયાની ભંડારા તરીકે ઓળખાતી વાડીની ઓરડીમાંથી મૂળ ઝઘડિયા ભરૂચ જિલ્લાના મુકેશભાઈ રવજીભાઈ વસાવા ઉ.29 નામના યુવાનનો મૃતદેહ મળી આવતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.